પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ્સમાં કિસાન વિકાસ પત્રનો પણ સમાવેશ થાય છે. આવો જાણીએ આ સ્કીમ વિશે ડિટેલ્સમાં.
કિસાન વિકાસ પત્રમાં કરો રોકાણ
10 વર્ષમાં ડબલ થઈ જશે પૈસા
જાણો સરકારની આ સ્કીમ વિશે બધુ જ
જો તમે પોતાના આવનાર દિવસોમાં રોકાણનું વિચારી રહ્યા છો તો પોસ્ટ ઓફિસની સેવિંગ્સ સ્કીમ્સમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમ્સમાં તમને સારૂ રિટર્ન તો મળે છે. સાથે જ તેમાં રોકાણ કરવામાં આવેલા પૈસા પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે. જો બેન્ક ડિફોલ્ટ થાય છે તો તમારે 5 લાખ રૂપિયાની જ રકમ પરત મળે છે.
પરંતુ પોસ્ટ ઓફિસમાં આમ નથી. તે ઉપરાંત પોસ્ટ ઓફિસની સેવિંગ્સ સ્કીમ્સમાં ખૂબ ઓછી રકમમાં રોકાણ શરૂ કરી શકાય છે. પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ્સમાં કિસાન વિકાસ પત્ર પણ શામેલ છે. આવો આ સ્કીમ વિશે ડિટેલમાં જાણીએ.
વ્યાજ દર
પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજનામાં વાર્ષિક 6.9 ટકા વ્યાજ મળે છે. આ વ્યાજદર 1 એપ્રિલ 2020થી લાગુ થયા છે. આ સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં રોકાણ પર તમારા પૈસા 14 મહિના એટલે કે 10 વર્ષ અને 4 મહિનામાં ડબલ થઈ જશે.
રોકાણની રકમ
કિસાન વિકાસ પત્ર સ્કીમમાં વ્યક્તિ ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરી શકાય છે. આ યોજનામાં 100 રૂપિયાના મલ્ટીપલમાં રોકાણ કરવાનું રહેશે. આ સ્કીમમાં રોકાણ કરવાથી કોઈ વધુ સીમા નક્કી કરવામાં નથી આવી.
કોણ ખોલાવી શકે છે એકાઉન્ટ?
પોસ્ટ ઓફિસના કિસાન વિકાસ પત્ર યોજનામાં એક વયસ્ક કે ત્રણ વયસ્ક સુધી સાથે મળીને જોઈન્ટ એકાઉન્ટ ખોલી શકો છો. તે ઉપરાંત સ્કીમમાં નાબાલિક અથવા માનસિક રીતે અસ્વસ્થ્ય વ્યક્તિની તરફથી તેના વાલી પણ ખાતુ ખોલી શકે છે. આ સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં 10 વર્ષથી વધારે ઉંમરના નાબાલિક પોતાના નામમાં પણ ખાતુ ખોલાવી શકે છે.
મેચ્યોરિટી
આ સરકારી સ્કીમમાં જમા કરવામાં આવેલી રકમ નાણમંત્રલય દ્વારા સમય સમય પર નિર્ધારિત કરવામાં આવેલી મેચ્યોરિટીના સમયગાળા પર મેચ્યોર થઈ જાય છે. આ યોજનામાં મેચ્યોરિટી જમાની તારીખથી લાગુ થશે.
મેચ્યોરિટી પહેલા બંધ કરો તો શું?
કિસાન વિકાસ પત્ર સ્કીમમાં એકાઉન્ટને મેચ્યોરિટી પહેલા અમુક સ્થિતિઓમાં બંધ કરવામાં આવે છે. આ યોજનામાં સિંગલ એકાઉન્ટહોલ્ડરની મોત થવા પર અથવા જોઈન્ટ એકાઉન્ટમાંથી કોઈ પણ ખાતાધારકોના મોત પર બંધ કરાવી શકો છો. આ સ્કીમમાં એકાઉન્ટને કોર્ટના આદશથી પણ મેચ્યોરિટી પહેલા બંધ કરાવવાનું રહેશે. આ ઉપરાંક વ્યક્તિ જમા તારીખથી બે વર્ષ અને છ મહિના બાદ પણ ખાતાને બંધ કરાવી શકે છે.