ભારતીય પોસ્ટે પોસ્ટ ઓફિસમાં ખાતાધારકો માટે અનેક નિયમોમાં ફેરફાર કરતા રાહત આપી છે.
એક દિવસમાં 20 હજાર રુપિયા ઉપાડી શકાય
બચત યોજનાઓમાં પૈસા ઉપાડવાની લિમિટ વધારી દીધી
લાંબા સમયમાં પોસ્ટ ઓફિસ ડિપોર્જિટ વધશે.
બચત યોજનાઓમાં પૈસા ઉપાડવાની લિમિટ વધારી દીધી
ભારતીય પોસ્ટે પોસ્ટ ઓફિસમાં ખાતાધારકો માટે અનેક નિયમોમાં ફેરફાર કરતા રાહત આપી છે. Indian Post એ પોસ્ટ ઓફિસની બચત યોજનાઓમાં પૈસા ઉપાડવાની લિમિટ વધારી દીધી છે. તેવામાં તેમને આશા છે કે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ બેંકોની સરખામણી કરી શકશે અને લાંબા સમયમાં પોસ્ટ ઓફિસ ડિપોર્જિટ વધશે.
એક દિવસમાં 20 હજાર રુપિયા ઉપાડી શકાય
ગ્રામીણ પોસ્ટ સેવાની બાન્ચમાં હવે ખાતાધારકો એક દિવસમાં 20 હજાર રુપિયા કાઢી શકે છે. પહેલા આ લિમિટ 5 હજાર રુપિયાની હતી. આ ઉપરાંત કોઈ પણ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)એક દિવસમાં એક ખાતામાં 50 હજાર રુપિયાથી વધારે કેશ જમા લેવળ દેવળને સ્વીકાર નહીં કરે. મતલબ આ એક દિવસમાં એક ખાતમાં 50, 000 રુપિયાથી વધારે કેશ લેવળ દેવળ નહી કરી શકાય.
PPF, KVP, NSC માટે નિયમ બદલ્યા
નવા નિયમ મુજબ બચત ખાતા ઉપરાંત હવે સાર્વજનિક ભવિષ્ય નિધિ(PPF), વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS), માસિક આવક યોજના (MIS), કિસાન વિકાસ પત્ર (KVP), રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC)યોજનાઓમાં જમા ચેકના માર્ફતે સ્વીકાર અથવા વિડ્રોલ ફોર્મના માધ્યમથી કરવામાં આવશે.
કેટલા મિનિમમ બેલેન્સની જરુર?
ઉલ્લેખનીય છે કે પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ પર 4 પરસેન્ટ વાર્ષિક વ્યાજ મળે છે. પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવેલા બચત ખાતામાં મિનિમમ બેલેન્સ 500 રુપિયા રાખલાની જરુરી છે. જો તમારા ખાતમાં 500 રુપિયાથી ઓછી રકમ હશે તો ખાતાની જાળવણી ફીના રુપમાં 100 રુપિયા કાપી લેવામાં આવશે.