ભારતીય પોસ્ટ ઓફિસમાં ખાતાધારકો માટે સારી ખબર છે. હવે આ નિયમ બદલવામાં આવ્યો છે.
પોસ્ટ ઓફિસના આ નિયમો જાણી લેજો
સેવિંગ્સને લઈને આ નિયમો બદલાયા
ટ્રાન્ઝેક્શનના નિયમો વિશે જાણો
પોસ્ટ ઓફિસમાં જો તમારુ ખાતુ છે તો તમારા માટે એક સારી ખબર છે. હકીકતે પોસ્ટ ઓફિસે ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. પોસ્ટ ઓફિસે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ (Post Office Savings Schemes) માંથી પૈસા ઉપાડવાની લિમિટને વધારી દીધી છે. તેનાથી પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ (Post Office Savings Schemes) બાકીની બેન્કો સાથે મુકાબલો કરી શકશે અને લાંબા સમયગાળામાં પોસ્ટ ઓફિસ ડિપોઝિટ્સ વધશે.
એક દિવસમાં 20,000 રૂપિયા ઉપાડી શકાશે
ગ્રામીણ ડાક સેવાની બ્રાંચમાં અત્યાર સુધી ખાતાધારક એક દિવસમાં 20,000 રૂપિયા ઉપાડી શકતા હતા. પહેલા આ લિમિટ 5,000 રૂપિયા હતી. તે ઉપરાંત કોઈ પણ બ્રાંચ પોસ્ટમાસ્ટર એક દિવસમાં એક ખાતામાં 50,000 રૂપિયાથી વધારે કેશ જમા લેવડ-દેવડને સ્વીકાર નહીં કરે. મતલબ કે એક દિવસમાં એક ખાતામાં 50,000 રૂપિયાથી વધારેનું કેશ ટ્રાન્ઝેક્શન નહીં કરી શકાય.
PPF, KVP, NSCના નિયમો બદલાયા
નવા નિયમો અનુસાર બચત ખાતા ઉપરાંત અન્ય સાર્વજનિક ભવિષ્ય નિધિ (PPF), વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS), માસિક આય યોજના (MIS), કિસાન વિકાસ પત્ર (KVP), રાષ્ટ્રીય બચત પ્રમાણ પત્ર (NSC) યોજનાઓમાં જમા ચેક દ્વારા સ્વીકાર અથાવ વિડ્રોલ ફોર્મ દ્વારા કરવામાં આવશે.
મિનિમમ બેલેન્સ કેટલું જરૂરી?
તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ પર 4 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવેલા બચત ખાતા માટે મિનિમમ બેલેન્સ 500 રૂપિયા રાખવું જરૂરી છે. જો તમારા ખાતામાં 500 રૂપિયાથી ઓછી રકમ હશે તો 100 રૂપિયા ફી કપાઈ જશે.