પોસ્ટ ઑફિસ પોસ્ટ સેવાઓ ઉપરાંત ઘણા પ્રકારની બેંકિગ સેવા પણ આપે છે. આ ઘણા પ્રકારના સ્મોલ સેવિંગ સ્કીમ પણ સંચાલિત કરે છે. આ સેવિંગ સ્કીમ્સમાંથી એક છે સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ. આ સ્કીમ હેઠળ તમને 8 ટકાથી વધારે વ્યાજ આપવામાં આવે છે. એટલે કે આ સ્કીમમાં બેંકની ફિક્સ્ડ ડિપૉઝીટથી વધારે વ્યાજ મળે છે.
સ્કીમથી જોડાયેલી ખાસ જાણકારી
ક્યારે ખોલાવી શકો છો ખાતું?
60 વર્ષ અથવા એનાથી વધારે આયુષ્ય બાદ અકાઉન્ટ ખોલી શકાય છે.
આ યોજના હેઠળ 5 વર્ષ માટે નાણાં રોકી શકાય છે.
પાકતી મુદત પછી આ યોજના 3 વર્ષ સુધી લંબાવી શકાય છે.
VRS લેનાર વ્યક્તિ જેની ઉંમર 55 વર્ષથી વધુ હોય પરંતુ 60 વર્ષથી ઓછી હોય એ પણ આ ખાતું ખોલાવી શકે છે.
આ યોજના હેઠળ તમે મહત્તમ 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો.
વર્ષનું 8.7 ટકા વ્યાજ દર
વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં રોકાણ કરાયેલ મૂડી પર વાર્ષિક ધોરણે 8.7% વ્યાજ મળે છે. જો કે, આ વ્યાજ પર ટેક્સ આપવો પડે છે.
આ સ્કીમ હેઠળ રોકાણ કરવા પર 1 એપ્રિલ, 2007થી આવકવેરા અધિનિયમ 1961 (Income Tax Act, 1961) ની કલમ 80C હેઠળ ટેક્સ છૂટનો લાભ મળી રહ્યો છે.
સ્કીમથી જોડાયેલી અન્ય મહત્વપૂર્ણં વાતો
આ યોજના જોઇન્ટ ખાતું પણ ખોલાવી શકાય છે. તેમજ પોતાના ખાતામાં કોઇને નોમિની પણ બનાવી શકાય છે.
ખાતું ખોલવા માટે રૂ. 1 લાખથી વધુ જમા કરવા હોય તો ચેક આપવો પડશે.
ત્રિમાસિક ધોરણે વ્યાજ ચૂકવવામાં આવે છે અને એપ્રિલ, જુલાઇ, ઓક્ટોબર અને જાન્યુઆરી મહિનાના પહેલા વર્કિંગ ડે પર પૈસા જમા થઈ જાય છે.
પાકતી મુદત 5 વર્ષની છે પરંતુ 1 વર્ષ પછી પણ પ્રિમેચ્યોર વિથડ્રોઅલ કરી શકાય છે.
1 વર્ષ પછી પ્રિમેચ્યોર વિથડ્રોઅલ પર જમા રકમની 1.5% ફી તરીકે ચાર્જ લેવામાં આવે છે. 2 વર્ષ પછી રકમમાં 1%નો ઘટાડો કરવામાં આવે છે.