પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ્સમાં નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટનો પણ સમાવેશ થાય છે. આવો આ સ્કીમ વિશે જાણીએ.
પોસ્ટની આ સ્કીમનો ઉઠાવો લાભ
જાણો તેમાં મળતા ફાયદાઓ વિશે
ટેક્સમાં મળશે છૂટ
જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો પોસ્ટ ઓફિસની સેવિંગ્સ સ્કીમ્સમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમ્સમાં તમને સારૂ રિટર્ન તો મળે જ છે સાથે જ તેમાં રોકાણ કરેલા પૈસા પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે. જો બેન્ક ડિફોલ્ટ (Bank Default) થાય છે તો તમને 5 લાખ રૂપિયાની જ રકમ પરત મળે છે. પરંતુ પોસ્ટ ઓફિસમાં આવું નથી. આ ઉપરાંત પોસ્ટ ઓફિસની સેવિંગ્સ સ્કીમ્સમાં ખૂબ ઓછી રકમથી રોકાણ શરૂ કરવામાં આવી શકે છે. પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ્સમાં નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટનો પણ સમાવેશ થાય છે. આવો આ સ્કીમ વિશે ડિટેલ્સમાં જાણીએ.
વ્યાજ દર
પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમમાં હાલના સમયમાં 6.8 ટકાનો વ્યાજ દર રહેલો છે. તેમાં વ્યાજમાં વાર્ષિક આધાર પર કંમ્પાઉન્ડ કરવામાં આવે છે પરંતુ ચુકવણી મેચ્યોરિટી પર થાય છે. તેમાં 1000 રૂપિયાના રોકાણ પર રકમ પાંચ વર્ષના સમય બાદ વધીને 1389.49 રૂપિયા થઈ જાય છે.
રોકાણકારોની રકમ
આ સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં ઓછામાં ઓછા 1000 રૂપિયા રોકાણ કરવામાં આવે છે. વ્યક્તિનું રોકાણ 100 રૂપિયાના મલ્ટીપલમાં કરવાનું હોય છે. રોકાણ કરવાની કોઈ વધુમાં વધુ સીમા નક્કી નથી કરવામાં આવી.
કોણ ખોલી શકે છે એકાઉન્ટ?
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં એક વયસ્ક, ત્રણ વયસ્ક સુધી સાથે મળીને જોઈન્ટ એકાઉનેટ ખોલાવી શકે છે. તે ઉપરાંત આ સ્કીમમાં ડિસેબલ વ્યક્તિ અથવા નાબાલિકની તરફથી અભિભાવક પણ ખાતુ ખોલાવી શકે છે. આ સ્કીમ હેઠળ 10 વર્ષથી વધારે ઉંમરના નાબાલિક પોતાના નામથી પણ એકાઉન્ટ ખોલાવી શકે છે.
મેચ્યોરિટી
આ નાની બચત યોજનામાં રોકાણ કરવામાં આવેલી રકમની તારીખથી પાંચ વર્ષનો સમયગાળો પુરો થવા પર મેચ્યોર થાય છે.
સ્કીમના અન્ય ફિચર્સ
આ સ્કીમ હેઠળ કોઈ પણ સંખ્યામાં એકાઉન્ટ ખાલવામાં આવી શકે છે.
આ સ્કીમ હેઠળ રોકાણની રકમ માટે ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન 80C હેઠળ ડિડક્શન માટે ક્લેમ કરવામાં આવી શકે છે.
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં 5 વર્ષની એફડી પહેલા અમુક સ્થિતિમાં એકાઉન્ટ બંધ કરવામાં આવી શકે છે.
તેમાં સિંગલ એકાઉન્ટ ધારકનું મોત થવા પર આ જોઈન્ટ એકાઉન્ટમાં પણ ખાતાધારકોના મોત પર એકાઉન્ટ બંદ કરી શકાય છે.
તે ઉપરાંત કોર્ટના આદેશ પર પણ ખાતાને બંધ કરી શકાય છે.