જો તમે ઓછા રોકાણમાં વધારે ફાયદો મેળવવા ઈચ્છો છો તો તમે પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના (POMIS ) કેન્દ્રીય સંચાર મંત્રાલયની તરથી સંચાલિત એક રોકાણ યોજનામાંની એક છે.
ઓછા રોકાણમાં મેળવો વધારે ફાયદો
કામની છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ
POMIS સ્કીમ કરશે તમારી મદદ
આ થશે ફાયદો
આ યોજનાનો ફાયદો એ છે કે આ યોજનામાં રોકાણ ન્યૂનતમ રકમ સાથે શરૂ કરી શકાય છે. પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના (POMIS) એક ઓછા જોખમની યોજના છે. જે તમને એક સ્થિર આવક આપી શકે છે. આ યોજના ખાસ કરીને નાના રોકાણકારોને અને વરિષ્ઠ નાગરિકોને માટે અનુકૂળ છે. આ યોજનાને માટે રોકાણની સીમા 5 વર્ષની નક્કી કરવામાં આવી છે. પોસ્ટ ઓફિસની આ માસિક આવક યોજનામાં તમને એફડીની સરખામણીએ વધારે રિટર્ન મળે છે.
આટલા રૂપિયાથી શરૂ કરી શકાય છે
રોકાણકારો POMIS યોજનામાં 1000 રૂપિયામાં ઓછામાં ઓછી રકમ સાથે શરૂઆત કરી શકાય છે. રોકાણકાર આ રાશિને સમયની સાથે ધીરે ધીરે વધારી શકાય છે. આ યોજનામાં વ્યક્તિગત રીતે કોઈ પણ વ્યક્તિ 4.5 લાખ રૂપિયા અને સંયુક્ત રીતે 9 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકે છે. પોસ્ટ ઓફિસની એમઆઈએસ 1 જુલાઈ 2019થી વાર્ષિક 7.6 ટકાના વ્યાજનો દરની રજૂઆત કરી શકે છે. આ વ્યાજ વાર્ષિક આપવાનું રહે છે. આવકવિભાગના કાયદાના સેક્શન 80સીના આધારે પોસ્ટઓફિસની માસિક આવક યોજનામાં રોકાણ પર ટેક્સની છૂટ મળતી નથી.
યોજનાની જરૂરી અન્ય વાતો
POMIS એક નિશ્ચિત આવકની યોજના છે. રોકાણકારો દ્વારા જમા કરવામાં આવેલા રૂપિયા બજાર જોખમના આધીન નથી અને સુરક્ષિત રહે છે.
પોસ્ટ ઓફિસ એમઆઈએસ 5 વર્ષના લોક ઈન કાર્યકાળની સાથે આવે છે. જ્યારે રોકાણ પરિપક્વ થાય છે ત્યારે તમારી રકમ પાછી લઈ શકાય છે. આ સાથે તેને આગળ વધારી શકાય છે. એક વર્ષથી પહેલાં યોજનાથી રૂપિયા કાઢવા માટે તમને કોઈ રિટર્ન મળશે નહીં.
રોકાણકારને રોકાણ કરતાં પહેલાં મહિનાથી પોતાના રોકાણથી રાશિ મળશે.ધ્યાન રાખો કે પે આઉટ દરેક મહિનાના અંતમાં આવે છે, શરૂઆતમાં નહીં.
એક રોકાણકાર દ્વારા પોતાના નામ પર એકથી વધારે એકાઉન્ટ ખોલી શકાય છે. ભલે કોઈની પાસે એકથી વધારે ખાતાની માલિકી હોય, પણ દરેકમાં કુલ જમા રાશિ 4.5 લાખ રૂપિયાથી વધારે હોવી જોઈએ નહીં.
એક સંયુક્ત ખાતું એક રોકાણકાર દ્વારા 3 લોકો માટે ખોલી શકાય છે. 10 વર્ષ કે તેનાથી વધારે ઉંમરની વ્યક્તિ માટે કોઈ રોકાણકારના નામે તેનું ખાતું ખોલી શકાય છે.
સગીર 18 વર્ષની ઉંમર સુધી પહોંચ્યા બાદ ધનરાશિનો ઉપયોગ કરી શકે છે. સગીરના કેસમાં કુલ રોકાણ 3 લાખ રૂપિયાની કુલ રોકાણ રાશિથી વધારે ન હોવું જોઈએ.