જો તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો એકવાર પોસ્ટ ઓફિસની આ સ્કીમ વિશે જણાવી લો. આ તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે.
રોકાણ કરવાનો પ્લાન હોય તો પોસ્ટ ઓફિસની આ સ્કીમ છે બેસ્ટ
આ સ્કીમમાં મળે છે વધુ વ્યાજ
આ સ્કીમનો ટેન્યોર 5 વર્ષનો છે
પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં બેન્ક એફડી અને આરડીથી સારું રિટર્ન મળે છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમ સેફ છે એટલે પણ ખૂબ જ સારી છે. પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ એવી સ્કીમ છે જ્યાં એફડી કરતાં વધુ વ્યાજ મળી રહ્યું છે.
વ્યાજ દર
પોસ્ટ ઓફિસની એનએસસી યોજનામાં હાલ વાર્ષિક 6.8 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. તેને વાર્ષિક ધોરણે કમ્પાઉન્ડ કરવામાં આવે છે પરંતુ ચુકવણી માત્ર પરિપક્વતા પર કરવામાં આવે છે. આ યોજનાનો કાર્યકાળ 5 વર્ષનો છે. જોકે, મેચ્યોરિટી પર તેને બીજા 5 વર્ષ સુધી લંબાવી શકાય છે.
રોકાણોના 5 વિકલ્પો
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ હાલમાં 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, 5000 અને 10,000 રૂપિયાના મૂલ્યમાં ઉપલબ્ધ છે. કોઈપણ અલગ અલગ વેલ્યૂના ગમે એટલા સર્ટિફિકેટ ખરીદીને એનએસસીમાં રોકાણ કરી શકે છે. આમાં ઓછામાં ઓછું 100 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે. રોકાણની મહત્તમ મર્યાદા નથી.
જાણો કેવી રીતે 15 લાખના થશે 21 લાખ
જો તમે આ યોજનામાં 15 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તે 6.8 ટકાના વ્યાજ દરે 5 વર્ષમાં 20.85 લાખ રૂપિયા થઈ જશે. આમાં તમારું રોકાણ 15 લાખ થશે, પરંતુ વ્યાજના રૂપમાં આશરે 6 લાખનો ફાયદો થશે. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80 સી હેઠળ એનએસસી હેઠળ વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ કપાતનો લાભ પણ મળે છે.