ગ્રાહકો માટે મોટા સમાચાર છે. જો તમારા ખાતું પણ પોસ્ટ ઓફિસમાં હોય તો આ સમાચાર જાણી લેવા જોઇએ.આ નિયમ 1 એપ્રિલથી લાગુ થયો છે.
પોસ્ટ ઓફિસના ગ્રાહકો માટે મોટા સમાચાર
પેૈસા ઉપાડવા અને જમા કરાવવા પર લાગશે ચાર્જ
1 એપ્રિલથી લાગુ થયો નિયમ
India Post Payment Banksએ હવે ઉપાડ અને જમા કરાવવા અને AEPS(આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમ)પર ચાર્જ વસૂલવાનો નિર્ણય લીધો છે એટલે કે ગ્રાહકે પૈસા જમા કરાવતી વખતે અને ઉપાડ કરતી વખતે ચાર્જ ચૂકવવો પડશે.
બેસિક સેવિંગ્સ અકાઉન્ટ પર કેટલો લાગશે ખર્ચ?
જો તમારું બેસિક સેવિંગ્સ અકાઉન્ટ છે તો તમારે 4 વખત ઉપાડવા પર કોઇ જ ચાર્જ નહીં લાગે પરંતુ વધુ લેવડદેવડ માટે તમારે 25 રૂપિયા અથવા 0.5 ટકા ચાર્જ આપવો પડશે તો પૈસા જમા કરાવવા માટે કોઇ શૂલ્ક વસૂલવામાં નહીં આવે.
સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટ પર કેટલો લાગશે ચાર્જ?
તમારે સેવિંગ્સ અને કરન્ટ એકાઉન્ટ છે તો તમે દર મહિને 25000 રૂપિયા ઉપાડી શકો છો. તેનાથી વધુ ઉપાડ પર 25 રૂપિયા ચાર્જ આપવો પડશે. તો 10,000 સુધી કેશ ડિપોઝિટ કરી શકાશે. ત્યારબાદ જમા કરવા પર ઓછામાં ઓછા 25 રૂપિયાનો ચાર્જ લાગશે.
ઇન્ડિયા પોસ્ટ AePS એકાઉન્ટ પર લાગનાર ચાર્જ
IPPB નેટવર્ક પર અસમિત મફત લેણદેણ હોય છે, પરંતુ નોન-IPPB માટે ત્રણ વખત મફત લેણદેણ કરવામાં આવી શકે છે. આ નિયમ મિની સ્ટેટમેન્ટ, કેશ ઉપાડવા અને જમા કરાવવા માટે છે. AePSમાં ફ્રી લિમિટ ખતમ થયાં બાદ દરેક ટ્રાન્જેક્શન પર એક ચાર્જ આપવો પડશે. અવધી સમાપ્ત થયાં બાદ કોઇપણ જમા રાશિ રકમ પર 20 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
મિની સ્ટેટમેન્ટ માટે પણ ચૂકવવો પડશે ચાર્જ
આ સિવાય જો ગ્રાહક મિની સ્ટેટમેન્ટ કાઢવા ઇચ્છે છે, તો તે માટે પણ તમારે 5 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે મર્યાદા પૂરી થયા પછી પૈસાની લેવડદેવડ કરો છો, તો પછી તમારા ખાતામાંથી ટ્રાંઝેક્શનની 1% રકમ કાપવામાં આવશે, જે ઓછામાં ઓછી રૂ .1 અને મહત્તમ 25 રૂપિયા છે. જણાવી દઇએ કે, કે આ ચાર્જ પર જીએસટી અને સેસ પણ લાગૂ કરવામાં આવશે.