પોસ્ટની ઓફિસની 'કિસાન વિકાસ પત્ર યોજના' (Kisan Vikas Patra) તમારા પૈસાને 10 વર્ષમાં ડબલ કરી દેશે.
'કિસાન વિકાસ પત્ર યોજના'માં 10 વર્ષમાં પૈસા ડબલ થઇ જશે
ઓછામાં ઓછાં 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકશો
હાલમાં આ સ્કીમમાં 6.9 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
શું તમે તમારા પૈસા સરળતાથી ડબલ થઇ જાય એવી સ્કીમ વિશે જાણવા ઇચ્છો છો તો આજે અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવીશું કે જેમાં 10 વર્ષમાં તમારા પૈસા ડબલ થઇ જશે.
પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના (Kisan Vikas Patra). આ એક એવી યોજના છે કે જેમાં 10 વર્ષમાં તમારા પૈસા ડબલ થઇ જાય છે. કિસાન વિકાસ પત્ર માટે એવું કહેવાય છે કે તે સારા વળતરની સાથે રોકાણકારોને રાહત આપે છે. 124 મહિનામાં પૈસા ડબલ કરી આપનારી કિસાન વિકાસ પત્ર યોજના સૌ કોઇમાં વધારે લોકપ્રિય છે. તેમાં રોકાણ કરવું સરળ પણ છે અને તેમાં વળતર પણ સારું મળી રહે છે.
જાણો શું છે કિસાન વિકાસ પત્ર?
પોસ્ટ ઓફિસ (Post Office Schemes) ની ઘણી યોજનાઓમાં કિસાન વિકાસ પત્રની સૌથી સારી બાબત એ છે કે તેમાં વધારે ગણતરીની જરૂર નથી પડતી. તેમાં તમે ઓછામાં ઓછાં 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો અને તમે કોઈ પણ મહત્તમ રકમ જમા કરાવી શકો છો.
જુઓ કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરવાથી શું ફાયદો થાય છે?
હાલમાં આ સ્કીમમાં 6.9 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
આ સ્કીમમાં 1000 રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે અને આ રોકાણની કોઈ અંતિમ મર્યાદા નથી.
જો તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધારે છે તો સિંગલ અથવા જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકાય છે.
રોકાણ કર્યા બાદ તમે ઓછામાં ઓછાં અઢી વર્ષ સુધી આ ખાતામાંથી પૈસા ઉપાડી નહીં શકો.
કિસાન વિકાસ પત્રની યોજનામાં પણ આવકવેરામાંથી મુક્તિ (Income tax exemption) મળે છે.
જાણો કિસાન વિકાસ પત્રના ખાસ નિયમ વિશે...
KVP પ્રમાણપત્ર કોઇ પુખ્ત વ્યક્તિ પોતાની માટે ખરીદી શકાય છે અને કોઇ સગીર માટે બે પુખ્ત વ્યક્તિઓ દ્વારા ખરીદી શકાય છે. એ સિવાય તે એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિમાં ટ્રાન્સફર પણ કરી શકાય છે. તદુપરાંત એક પોસ્ટ ઑફિસથી બીજી પોસ્ટ ઑફિસમાં પણ ટ્રાન્સફર થઈ શકે છે. KVP ખરીદ્યાના અઢી વર્ષ બાદ તમને તેને રોકડમાં મેળવી શકાય છે.