પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમને ઘણી બેન્કોની FDથી વધારે વ્યાજ આપી શકે છે.
રોકાણ માટે બેસ્ટ સ્કિમ વિશે જાણો
પોસ્ટની આ યોજનામાં 6.8 ટકા વ્યાજ મળશે
નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં કરો રોકાણ
પૈસાનું રોકાણ કરતી વખતે દરેક રોકાણકારો બે વસ્તુઓ જ ઈચ્છે છે. એક તેના પૈસા સુરક્ષિત રહે અને બીજુ કે તેમને સારૂ રિટર્ન મળે. પોસ્ટ ઓફિસની ઘણી એવી બચત યોજનાઓ છે જેમાં તમને આ બન્ને વસ્તુઓ મળી શકે છે.
પોસ્ટ ઓફિસની આવી એક સ્કીમ છે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC). અહીં તમને ઘણી બેન્કોની FD કરતા વધારે વ્યાજ મળી શકે છે. પોસ્ટ ઓફિસની એનએસસી યોજના પર હાલ 6.8 ટકા વ્યાજદર ઓફર કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે તમે જે પૈસા NSC રોકાણ કરો છો તેમાં દર વર્ષે વ્યાજ જોડાતુ જશે. પરંતુ તમને તેની ચુકવણી એક સાથે મેચ્યોરિટી પર જ કરવામાં આવશે.
NSC યોજનાની મેચ્યોરિટીનો સમયગાળો 5 વર્ષ છે. જો તમે ઈચ્છો તો મેચ્યોરિટી બાદ પોતાના રોકાણને 5 વર્ષ માટે વધારી શકાય છે. NSCમાં તમે ઓછામાં ઓછા 100 રૂપિયા રોકાણ કરવાનું રહેશે. કારણ કે સૌથી સસ્તુ એનએસસી આ રેટ પર ઉપલબ્ધ છે. જ્યાં વધુ રોકાણની વાત આવે તો તેની કોઈ લિમિટ નથી.
NSC એક ટેક્સ સેવિંગ ઓપ્શન છે. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80 સી હેઠળ NSC રોકાણકારોને વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સની છૂટ મળે છે. NSC આ સમયે તમને 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, 5000 રૂપિયા અને 10,000 રૂપિયાના રેટમાં મળી જશે. NSCમાં અલગ અલગ કિંમતના જેટલા જોઈએ તેટલા સર્ટિફિકેટ ખરીદીને રોકાણ કરી શકો છો.
5 વર્ષમાં 6 લાખ રૂપિયાનું વ્યાજ
જો કોઈ રોકાણકાર NSCમાં 15 લાખ રૂપિયાનું રોકાણ કરે છે તો 6.8 ટકા વ્યાજદરના હિસાબથી 5 વર્ષમાં રોકાણકારની એ રોકાણ કરેલી રકમ 20.85 લાખ રૂપિયા થઈ જાય છે. એટલે કે લગભગ 6 લાખ રૂપિયા વ્યાજ તેને 5 વર્ષમાં જ મળી જશે.