આજના સમયગાળામાં દરેક વ્યક્તિ પોતાના બાળકો અને તેના ભવિષ્યને લઈને સતત ચિંતિત હોય છે અને રોકાણ માટેની ગોઠવણ કરતો રહે છે ત્યારે પોસ્ટ ઓફિસ દ્વારા કેટલીક ખાસ યોજનાઓ છે, જે રોકાણકારનો ડબલ વળતર આપે છે.
રોકાણ માટે બેસ્ટ છે પોસ્ટઓફિસમાં આ યોજના
એકવખત રોકાણ કરો અને મળે ડબલ ફાયદો
ભવિષ્ય બાબતે થઈ જશો નિશ્ચિત
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ, પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ અને કિસાન વિકાસ પત્રનો સમાવેશ થાય છે, આવો જાણીએ કેવી રીતે કરી શકાય રોકાણ અને સ્કીમ વિશે...
નેશનલ સેવિંગ્સ સર્ટીફિકેટ
નેશનલ સેવિંગ્સ સર્ટીફિકેટમાં પાંચ વર્ષનો મિનિમમ લોક ઈન પીરિયડ હોય છે. એટલે કે રોકાણના પાંચ વર્ષ બાદ જ તમે તેમાંથી રૂપિયા ઉપાડી શકો છો. NSC માં ત્રણ રીતે રોકાણ કરી શકાય છે.પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં અત્યારે 6.8 ટકાનો વ્યાજ દર છે. આ સ્કીમમાં તમે ઓછામાં ઓછા 1000 રૂપિયાનુ રોકાણ કરી શકો છો અને 100ના ગુણાંકમાં રૂપિયાનું રોકાણ કરી શકો છો. જોકે, તેમાં રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી.
કેવી રીતે કરી શકાય રોકાણ ?
સિંગલ ટાઈપ- તમે પોતાના માટે અથવા કોઈ સગીર માટે રોકાણ કરી શકો છો.
જોઈન્ટ એ ટાઈપ- આ પ્રકારના સર્ટીફિકેટને કોઈ પણ બે વ્યક્તિ એકસાથે મળીને લઇ શકે છે એટલેકે બે લોકો એકસાથે મળીને રોકાણ કરી શકે છે.
જોઈન્ટ બી ટાઈપ- આમાં રોકાણ તો બે લોકો કરે છે, પરંતુ મેચ્યોરિટીના પીરિયડમાં પૈસા ફક્ત એક રોકાણકારને આપવામાં આવે છે.
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ (POTD)
બેંકની જેમ જ પોસ્ટઓફિસમાં તમે FD કરાવી શકો છો. પોસ્ટ ઓફિસમાં ટાઈમ ડિપોઝિટના નામથી આ સુવિધા ઉપલબ્ધ છે. જેમાં 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષ સુધી પૈસા જમા કરાવી શકાય છે. ફાયદો એ છે કે,અહીં બેંકના મુકાબલે વ્યાજદર વધુ મળવા પાત્ર છે, પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ હેઠળ 5 વર્ષના રોકાણ પર 6.7 ટકા વાર્ષિક વ્યાજદર મળવાપાત્ર છે. તો આ રોકાણ સેક્શન 80સીથી ટેક્સમુક્ત પણ છે.
કિસાન વિકાસ પત્ર
કેન્દ્ર સરકાર પોસ્ટ ઓફિસ દ્વારા કિસાન વિકાસ પત્ર સ્કીમ ચલાવે છે. આ એક પ્રકારનું સર્ટિફિકેટ હોય છે જે કોઈપણ વ્યક્તિ ખરીદી શકે છે. તે બોન્ડની જેમ સર્ટિફિકેટ તરીકે બહાર પાડવામાં આવે છે. તેના પર ડબલ રિટર્ન મળે છે. સરકાર સમયાંતરે આ વ્યાજદરમાં સુધારો કરતી રહે છે. તેને દેશભરની કોઇપણ પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકાય છે. આમાં પૈસા ડૂબવાની પણ ચિંતા રહેતી નથી.
કેટલા સમય માટે રોકાણ કરવાનું હોય છે
આ સ્કીમમાં 124 મહિના માટે રોકાણ કરવાનું હોય છે. જેમાં તમારા દ્વારા રોકાણ કરેલાં પૈસા ડબલ થઈ જાય છે. આ સ્કીમમાં સરકાર 6.9 ટકા વ્યાજ આપે છે. તમે આમાં સિંગલની સાથે જોઈન્ટમાં પણ એકાઉન્ટ ઓપન કરાવી શકો છો.
કેટલી રકમ ઇન્વેસ્ટ કરી શકાય?
કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરવાની મહત્તમ મર્યાદા નથી. જોકે, તમારું મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ 1000 રૂપિયા હોવું જોઈએ. તમે 1,000 રૂપિયાના ગુણાકારમાં કોઈપણ રકમનું રોકાણ કરી શકો છો. કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરનારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. તેમાં સિંગલ ઉપરાંત જોઇન્ટ ખાતાની પણ સુવિધા છે.
જો તમે તમારું રોકાણ ઉપાડવા માગતા હો તો તમારે ઓછામાં ઓછી 2.5 વર્ષ રાહ જોવી પડશે. તેમાં અઢી વર્ષનો લોક ઈન પિરિયડ રાખવામાં આવ્યો છે. આ સાથે જ
આ પ્રમાણપત્ર એક વ્યક્તિથી બીજામાં ટ્રાન્સફર કરી શકાય છે. તેને એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં પણ ટ્રાન્સફર કરી શકાય છે. તેને દેશની કેટલીક બેંકોમાંથી પણ ઓનલાઇન ખરીદી શકાય છે.