વિરોધ પક્ષના નેતાનું પદ કઇ રીતે મળી શકે તે માટે ચર્ચા કરવામાં આવી રહી છે. વિરોધ પક્ષનું પદ મેળવવા માટે બન્ને પાર્ટીનો વિલય કરવામાં આવી શકે છે. કોંગ્રેસમાં NCP મર્જ થાય તે માટેની કવાયત શરુ કરવામાં આવી છે.
લોકસભામાં વિરોધ પક્ષના નેતાનું પદ મેળવવા માટે 55 બેઠકની જરૂર છે. જ્યારે કોંગ્રેસ પાસે 52 સાંસદો અને NCP પાસે 5 સાંસદો હોવાનું બન્નેના વિલય બાદ કોંગ્રેસ પાસે 57 સાંસદો થઈ શકે છે અને તેમને લોકસભામાં વિપક્ષનું પદ મળી શકે છે. NCP અગાઉ કોંગ્રેસમાંથી જ અલગ પડી હોવાથી ફરીથી તે કોંગ્રેસ સાથે મળી શકે છે. તેની સામે કોંગ્રેસ દ્વારા NCPને રાજ્યસભામાં વિપક્ષના નેતાનું પદ મળી શકે છે.
મહત્વનું છે કે, શરદ પવારની તબીયત ખરાબ રહેતી હોવાથી NCP પાસે રાષ્ટ્રીય કક્ષાએ નેતૃત્વ સતત ઘટી રહ્યું છે. આ ઉપરાંત શરદ પવારના ભત્રીજા પણ માત્ર મહારાષ્ટ્ર પુરતા સિમિત થઈ ચુક્યા છે અને તેમની પુત્રી સુપ્રીય સુલે પણ રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાના પિતા જેટલું નામ મેળવી શક્યા નથી.
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી આજે પીએમ પદના શપથ લેવા જઈ રહ્યા છે. ત્યારે નરેન્દ્ર મોદીના શપથ સમારોહમાં દેશી વિદેશી મહેમાનો ઉપસ્થિત રહેશે. અંદાજે આઠ હજાર જેટલા લોકો નરેન્દ્ર મોદીના શપથ સમારોહમાં હાજર રહે તેવી શક્યતા પણ છે.