રાજ્યમાં પોસ્ટ વિભાગની બેદરકારીને કારણે લોકો ઘણા પરેશાન છે, જ્યારે વધું એક એવી ઘટના અરવલ્લીમાં ઘટી છે. જ્યાં નોકરીના ઇન્ટરવ્યૂની તારીખ બાદ તે યુનાનને જાણ થઇ કે તેનું ઇન્ટરવ્યૂ હતુ. પોસ્ટ વિભાગની ઘોર બેદરકારીના કારણે એક યુવાનને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. જોઇએ સમગ્ર ઘટના.
અરવલ્લીમાં માલપુરના જાલમખાંટ ગામના યુવાનને ઇન્ટરવ્યૂની તારખ બાદ ટપાલ મળતા યુવાનને રોવાનો વારો આવ્યો છે. એસટી નિગમમાં હિસાબી અધિકારીનું ઇન્ટરવ્યૂ હતું. જો કે તારીખ ગયા બાદ યુવાન પાસે ટપાલ પહોંચી છે.
ત્યારે અહિંયા સવાલ ઊભા થઇ રહ્યા છે કે, આ ઘોર બેદરકારીમાં યુવાનનો શું વાંક? અરવલ્લી પોસ્ટ વિભાગ દ્વારા આટલી મોટી ચૂક કેવી રીતે થઇ? યુવાનના ઇન્ટરવ્યૂની ટપાલ ક્યાં અટવાઇ હતી? અરવલ્લી પોસ્ટ વિભાગ જે-તે અધિકારી પર પગલા ભરશે? સરકારી તંત્રમાં આવી ઢિલાસ ક્યાં સુધી રહેશે? શું અરવલ્લી પોસ્ટ વિભાગ યુવાનને નોકરી આપશે?