એઈમ્સના 7 તબીબોએ પોસ્ટ કોવિડના દર્દીઓ પર સર્વે કર્યો હતો. જેમા સામે આવ્યું કે જે લોકોએ વેક્સિન નતી લીધી તે લોકો પર પોસ્ટ કોવિડના લક્ષણો વધારે જોવા મળ્યા હતા.
કોરોના સંક્રમણથી સાજા થયા બાદ હવે પોસ્ટ કોવિડના કારણે ઘમી તકલીફો ઉભી થતી હોય છે. ત્યારે વધુંમાં સામે આવ્યું છે કે પોસ્ટ કોવિડ લક્ષણોથી બચવા માટે પણ વેક્સિનેશન જરૂરી છે. આપને જણાવી દઈએ કે એઈમ્સ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જે સર્વેનું આ પરિણામ આવ્યું છે. જેથી વેક્સિનના બંને ડોઝથી હવે આપણાને પોસ્ટ કોવીડ લક્ષણોને દૂર કરી શકશે.
7 તબીબો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો
કોરોનાથી સાજા થયા બાદ જે લોકોએ સમયસર વેક્સિનના બંન્ને ડોઝ લઈ લીધા છે. તેમના પર સર્વે કરવામાં ત્યારે ત્યારે સામે આવ્યું કે વેક્સિનેટેડ લોકોમાં પોસ્ટ કોવિડના લક્ષણો ઘણા ઓછા જોવા મળ્યા હતા. એઈમ્સના કુલ 7 તબીબો દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વેમાં અન્ય સ્ટાફને પણ શામેલ કરવામાં આવ્યો હતો. જેમણે ભેગા મળીને સ્ટડી કરી હતી.
1800 દર્દીઓ પર સર્વે કરવામાં આવ્યો
ડૉક્ટરોના કહેવા પ્રમાણે કુલ 1800થી વધારે દર્દીઓ પર આ સર્વે કરવામાં આવ્યો હતો. જેમા કુલ 33 ટકા એવા દર્દીઓ હતા જેનામાં પોસ્ટ કોવિડના લક્ષણો જોવા મળ્યા જ્યારે બાકીના 67 ટકામાં પોસ્ટ કોવિડના એટલા ખાસ લક્ષમો જોવા નહોતા મળ્યા.
વેક્સિન નહોતી લીધી તેમને તકલીફ પડી
હોસ્પિટલમાંથી જ્યારે દર્દીઓને રજા આપવામાં આવી હતી ત્યારબાદ તેમની સાથે તબીબો સંપર્કમાં રહ્યા હતા. જેમા જે લોકોએ વેક્સિન નહોતી લીધી તે લોકોને ઘણી તકલીફો પડી હતી. પરંતુ જે લોકોએ વેક્સિનનો એક ડોઝ પણ લીધો હતો. તે લોકો સાજા થયા ત્યારબાદ તેમનામાં પોસ્ટ કોવિડના લક્ષણો ઘણા ઓછા જોવા મળ્યા હતા.
મોટા ભાગના દર્દીઓમાં થાકના લક્ષણો જોવા મળ્યા
ઉલ્લેખનીય છે કે પોસ્ટ કોવિડના લક્ષણોમાં સૌથી વધારે દર્દીઓમાં થાકનો લક્ષણ જોવા મળ્યો હતો. મોટા ભાગના દર્દીઓનું કહેવું હતું કે તેમને થાક વધારે લાગે છે. સાથેજ દર્દીઓનું કહેવું એમ પણ હતું કે તેમના શરીરમાં તેમને દુખાવો પણ ભારે થતો હોય છે. ઉપરાંત 28 ટકા લોકોનું એવું પણ કહેવું હતું કે કોરોનાથી સાજા થયા બાદ તેમના વાળ ખરી રહ્યા હતા.