કોરોનાની બીજી લહેર ધીમી પડી છે ત્યારે કેટલાક વેરિઅન્ટે દર્દીના પેનક્રિયાસને નુકસાન કર્યું છે. પોસ્ટ કોવિડ ટ્રીટમેન્ટમાં દર્દીમાં ડાયાબિટિસની સમસ્યા પણ જોવા મળી છે.
કેટલાક વેરિઅન્ટે દર્દીના પેનક્રિયાસને નુકસાન કર્યું
કોરોના સંક્રમણથી તમે સાજા થઈ ચૂક્યા હશો પણ એક મોટો ખતરો તમારી સામે આવી શકે છે. ડોક્ટર તેને સામાન્ય ભાષામાં પોસ્ટ કોવિડ ઈલનેસ કહે છે. કેટલાક કેસમાં તે એટલો ખતરનાક બને છે કે દર્દીનું મોત થઈ શકે છે. કોરોનાની બીજી લહેર ધીમી પડી છે ત્યારે કેટલાક વેરિઅન્ટે દર્દીના પેનક્રિયાસને નુકસાન કર્યું છે. પોસ્ટ કોવિડ ટ્રીટમેન્ટમાં દર્દીમાં ડાયાબિટિસની સમસ્યા પણ જોવા મળી છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર દર્દીને પહેલા ડાયાબિટિસ ન હતો પણ ટ્રીટમેન્ટમાં જોવા મળ્યો છે. નવા વેરિઅન્ટ સંક્રમણ વધારનારા પ્રોટીનની મદદથી પેનક્રિયાસ સુધી પહોંચીને બીટા સેલ નષ્ટ કરે છે અને ઈન્સ્યુલિન બનવાની પ્રક્રિયાને બાધિત કરે છે જેનાથી ડાયાબિટિસ થાય છે.
વધી રહ્યા છે પોસ્ટ કોવિડ દર્દીઓ
દુનિયાના તમામ દેશમાં કોવિડને લઈને રિસર્ચ થઈ રહ્યું છે, જેમાં એક મોટી વાત સામે આવી રહી છે કે દર 5માંથી 1 દર્દીમાં પોસ્ટ કોવિડ સિમ્ટમ જોવા મળે છે. સૌથી વધારે શરીરમાં થાક, માનસિક બીમારી અને સાથે કેટલાક ખાસ લોકોમાં તો આંશિક દિવ્યાંગતા જોવા મળી છે.
દરેક ઉંમરમાં બીમારી અલગ
ડોક્ટર્સનું કહેવું છે કે ઉંમરના અનુસાર લોકોમાં પોસ્ટ કોવિડ બીમારી જોવા મળી રહી છે. એટલે કે મોટા લોકામાં બ્લેક ફંગસ જોવા મળી રહ્યું છે તો બાળકોમાં મલ્ટી ઇન્ફ્લેમેટ્રી સિન્ડ્રોમ જોવા મળઈ રહ્યું છે. કેટલાક કેસમાં આંતરડામાં સંક્રમણ જોવા મળી રહ્યું છે. આ સિવાય ક્યારેક દર્દીમાં સૌથી મોટી તકલીફ ઓક્સીજનની અછતને લઈને જોવા મળે છે. અનેક પ્રકારના પોસ્ટ કોવિડ સિમ્ટમ શરૂ થયા છે. ઓક્સીજનની ખામીથી મસ્તિષ્ક પર ખરાબ અસર થાય છે અને દર્દી હાઈપોક્સિક બ્રેઈન ઈન્જરીથી પરેશાન રહે છે.
ક્યારેક દવા અસર કરે છે અને ક્યારેક નહીં
ડોક્ટર્સનું માનવું છે કે કોરોના સમયે અનેક પ્રકારની દવાઓ એક્સપરિમેન્ટલ બેસિસ પર દર્દીને આપવામાં આવે છે. ખાસ કરીને એસ્ટોરોઈડનો સૌથી વધારે ઉપયોગ કરાયો છે. દર્દી પર એક સ્તર પછી એસ્ટોરોઈડ નુકસાન કરે છે જેની સીધી અસર તમારા હાર્ટ પર થાય છે.