દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત પર કોંગ્રેસની અંદર આંતરિક વિવાદ ઉભો થઇ ગયો છે. કોંગ્રેસ ગત વિધાનસભા ચૂંટણીની જેમ આ વખતે પણ ખાતુ ખોલવામાં નિષ્ફળ રહી છે. તેમ છતાં કોંગ્રેસ નેતા ખુશ નજર આવી રહ્યાં છે.
પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમે ટવિટ કરતાં કહ્યું કે ભાજપાને હરાવવા માટે દિલ્હીના લોકોને સલામ છે. જેના ઉપર કોંગ્રેસના પ્રવક્તાએ શર્મિષ્ઠા મુખર્જીએ નિશાન તાક્યું છે. ચિદમ્બરમે ટવિટ કરતાં લખ્યું છેકે આપની જીત થઇ અને છેતરનારા હારી ગયા.
દિલ્હીના લોકો જે ભારતના ઘણા બધા રાજ્યથી સંબંધ રાખે છે તેઓએ ભાજપના ધ્રુવીકરણ, વિભાજનકારી અને ખતરનાક એજન્ડાને જાકારો આપ્યો છે. હું દિલ્હીના લોકોને સલામ કરુ છું. જેમણે હવે પછી 2021 અને 2022માં યોજાનારી ચૂંટણીના રાજ્યના લોકોને માટે એક ઉદાહરણ રજૂ કર્યું છે.
જો કે કોંગ્રેસના અન્ય નેતા શર્મિષ્ઠા મુખર્જીએ ચિદમ્બરના ટિવટ પર નિશાન સાધ્યું છે. આ સિવાય શર્મિષ્ઠા મુખર્જીએ ટવિટ કરતાં કહ્યું કે દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના પ્રદર્શનને લઇને નેતૃત્વ પર પણ સવાલ ઉઠાવ્યાં છે.
શર્મિષ્ઠા મુખર્જીએ ચિદમ્બરમ્ ના ટવિટ પર નિશાન સાધતાં કહ્યું કે સન્માન સહિત સર, હું જાણવા ઇચ્છું છું કે શું (કોંગ્રેસ) ભાજપને હરાવવા માટે રાજ્યોની પાર્ટીઓનું આઉટસોર્સિંગ કર્યું છે ? જો નહીં તો આપણે લોકો આપણા પ્રદર્શન પર ચિંતા કરવાના બદલે આમ આદમી પાર્ટીની જીત પર ખુશી કેમ મનાવી રહ્યાં છીએ? અને જો હા હોય તો (રાજ્ય કોંગ્રેસ એકમોને) પોતાની દુકાન બંધ કરી દેવી જોઇએ.
With due respect sir, just want to know- has @INCIndia outsourced the task of defeating BJP to state parties? If not, then why r we gloating over AAP victory rather than being concerned abt our drubbing? And if ‘yes’, then we (PCCs) might as well close shop! https://t.co/Zw3KJIfsRx
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજ્ય પછી પાર્ટીની રાષ્ટ્રીય પ્રવક્તા શર્મિષ્ઠા મુખર્જીએ મંગળવારે જણાવ્યું હતું કે હાઇ કમાન્ડ દ્વારા નિર્ણય લેવામાં મોડુ તેમજ એકજૂટતાની ઉણપના કારણે આ પરાજ્ય થયો છે.