સૈન્ય ઠેકાણાઓ પર થતા ડ્રોન હુમલાને ગંભીરતાથી લેવું જોઈએ
ભવિષ્યમાં ભોગવવું પડી શકે છે મોટું નુકસાન
જમ્મુમાં ભારતીય વાયુ સેના સ્ટેશન પર થયેલા બે ડ્રોન હુમલાના એક દિવસ બાદ ભારતે આ મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઉઠાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે કહ્યું કે સૈન્ય ઠેકાણાઓ પર થતા ડ્રોનના ઉપયોગને ગંભીરતાથી લેવામાં આવે નહીં તો ભવિષ્યમાં તે મોટો ખતરો સાબિત થઈ શકે છે.
ડ્રોનના ઉપયોગ પર નિયંત્રણ લગાવવું જોઈએ
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની તરફથી કહેવામાં આવ્યું કે સીમા પર હથિયારોની તસ્કરી માટે ડ્રોનનો ઉપયોગ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવે છે. આતંરી ગતિવિધિઓને અંજામ આપવા માટે ડ્રોન હથિયારની જેમ ઉપયોગમાં લેવામાં આવે છે જે વાત હવે ગંભીરતાથી લેવી જોઈએ. જો આ વાતને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં તેની પર નિયંત્રણ લાવવું મુશ્કેલ બનશે.
આતંકીઓ નવા નવા જુગાડ શોધી રહ્યા છે
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સદસ્ય દેશોની આતંકવાદી રોધી એજન્સીઓના પ્રમુખના બીજા ઉચ્ચ સ્તરીય સન્મેલમાં ગૃહ મંત્રાલયે વિશેષ સચિવ વીએસકે કૌમુદીએ કહ્યું, "આજે આતંકવાદના પ્રચાર અને કેડરની ભરતી માટે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો દુરઉપયોગ થઈ રહ્યો છે. આતંકવાદ માટેની નાણાકીય ચુકવણી માટે નવી ચુકવણીની પદ્ધતિઓ અને ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આતંકી હવે હુમલાઓને અંજામ આપવા માટે ડ્રોન ટેકનીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. "
જમ્મુમાં એરબેઝ પર આતંકી હુમલાની તપાસ NIAને સોંપી
મહત્વનું છે કે જમ્મુમાં શનિવારે રવિવારે રાત્રે એરબેઝ પર થયેલા ડ્રોન અટેકની તપાસ હવે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીને સોંપવામાં આવી છે. આ એટેકમાં જમ્મુ એરબેઝને નિશાન બનાવવામાં આવ્યો હતો. ડ્રોન દ્વારા વિસ્ફોટક અંદર મોકલવામાં આવ્યા હતા. જેના કારણે બે નાના ધમાકા થયા હતા.
A special bomb squad team of National Security Guard (NSG) is investigating the nature of the blast at Jammu Air Force Station. RDX or TNT likely used in the blast. Drones were controlled from across the border. Involvement of local handler also being investigated: Sources pic.twitter.com/9RxGsUnzIo
આતંકી એન્ગલથી પણ કરવામાં આવશે તપાસ
સુરક્ષા એજન્સિઓ આ મામલાની તપાસ આતંકી એન્ગલથી પણ કરી રહી છે. પરંતુ ઘટનામાં 48 કલાક બાદ પણ ડ્રોન્સને લઈને કોઈ ચોક્કસ જાણકારી નથી મળી. એવામાં હવે આ મામલાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે. એનઆઈએ ટૂંક સમયમાં જ આ મામલામાં કેસ દાખલ કરી શકે છે. જ્યાર બાદ તપાસ શરૂ કરી દેવામાં આવશે. એવો શક છે કે ડ્રોન એટેક પાછળ પાકિસ્તાની આતંકી સંગઠન હોઈ શકે છે.