તૌકતે વાવાઝોડુ આજે રાતે આઠથી 11 વાગ્યાની આસપાસ દીવથી 20 કિલોમીટર પૂર્વમા ટકરાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી
તૌકતે વાવાઝોડું રાજયના દરિયાકાઠે ટકરાઈ શકે છે. વાવાઝોડુ હવે અતિ તીવ્ર કેટેગરીમાં તબદીલ થઇ ચૂક્યુ છે. હવામાન વિભાગે તેને અતિ ગંભીર કેટેગરીમાં ગણાવ્યું છે. તૌકતે વાવાઝોડુ આજે રાતે આઠથી 11 વાગ્યાની આસપાસ દીવથી 20 કિલોમીટર પૂર્વમા ટકરાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે કેવી છે તૌકતે વાવાઝોડાની દહેશત અને કેવો છે તેનો પ્રકોપ આવો જોઈએ.
ગીર સોમનાથના દરિયા કિનારે જોવા મળી રહ્યી છે તૌકતેની અસર, દરિયામાં જોવા મળી રહ્યો છે સામાન્ય કરંટ
ભાવનગરમાં તૌકતે વાવાઝાડોને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે ભાવનગરને રેડ ઝોનમાં એલર્ટ કરાયું છે, ઘોઘાના દરિયામાં કરંટ જોવા મળતા રેડ ઝોન અપાયું છે.
નવસારીમાં પણ પવનની ગતિમાં વઘારો થયો છે, ગઈ કાલે પણ વરસાદ વરસ્યો હતો, વરસાદને કારણે પાકને નુક્સાન જવાની ભિતિ સેવાઈ છે તૌકતે વાવાઝોડને લઈને તંત્ર સજ્જ બન્યું છે.નવસારીમાં 1 હજાર લોકોનું ગઈ કાલે મોડી રાત સુધીમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. વાવાઝોડું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે.
નવસારીમાં હાઈ ટાઈડ વચ્ચે પણ યુવાનો દરિયામાં મજા લેતા જોવા મળી રહ્યા છે, તંત્ર દ્વારા હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે