ગુજરાત હજી 2001નો કચ્છનો ભૂકંપ ભૂલ્યું નથી.ત્યારે કચ્છ યુનિવર્સિટીના સિસ્મોલોજી રિસર્ચના અનુમાન પ્રમાણે કચ્છમાં વધુ એક મોટો ભૂકંપ આવી શકે છે.
કચ્છમાં આવી શકે છે વધુ એક મોટો ભૂકંપ
રાજકોટ, અમદાવાદ સુધી થઈ શકે છે અસર
કચ્છ યુનિવર્સિટીના સિસ્મોલોજી રિસર્ચનું અનુમાન
કચ્છમાં આવી શકે છે વધુ એક મોટો ભૂકંપ
ગુજરાત હજી 2001નો કચ્છનો ભૂકંપ ભૂલ્યું નથી. જેણે છેક અમદાવાદ સુધી વિનાશ વેર્યો હતો. અને હજારો લોકોના મોત થયા હતાં. ત્યારબાદ નાના આંચકામાં તો કચ્છમાં સામાન્ય બની ગયા છે. પરંતુ હાલમાં જ કચ્છ યુનિવર્સિટી સિસ્મોલોજી રિસર્ચના એક ખાસ સર્વેમાં કચ્છમાં કતરોલ હિલ ફોલ્ટથી દર વર્ષે 2.1 મીલીમીટર ખસી રહી છે. જેના કારણે ભવિષ્યમાં કચ્છના મહત્વના શહેરોમાં ભૂજ અંજાર, ગાંધીધામ , રાપર, રાજકોટ, અમદાવાદ સહિતના શહેરોમાં ભૂકંપનું મોટું જોખમ હોવાનું તારણ આપવામાં આવ્યું છે. અને ખાસ કરીને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ક્ષેત્રોમાં 2001ની સ્ટાઈલથી અમદાવાદ સુધી તેની મોટી અસર થશે
કચ્છમાં કતરોલ હિલ ફોલ્ટથી દર વર્ષે 2.1 મીલીમીટર ખસી રહી છે
ઉલ્લેખનીય છે કે, સર્વેમાં જણાવાયું છે કે, કચ્છના કતરોલ હિલ ફોલ્ટથી દર વર્ષે 2.1 મીલીમીટર ખસી રહી છે. તેના કારણે ભારતીય પ્લેટ પર અત્યંત ખતરનાક અસપ થશે. 2001ના ભૂકંપ બાદ કચ્છ અને સૌરાષ્ટ્રાં ભૂકંપના નાના આંચકા એ સામાન્ય બાબત બની ગઈ છે. પણ છેલ્લા બે માસમાં ભચાઉ, રાપરની આસપાસ જે પાંચ આંચકા લાગ્યા હતા તેથી સંશોધનકર્તાઓનું ધ્યાન તેમના ભણી આકર્ષાયુ હતું.
અંજાર અને રાપરમાં સૌથી વધુ જોખમ હોવાનો મત
છેલ્લો આંચકો 3.4ની તીવ્રતાનો હતો અને તે રાપરના દક્ષિણ-પશ્ચીમમાં 10 કી.મી. કેન્દ્રીત હતો તે તા.1 માર્ચના રોજ સવારે 7.50 કલાકે લાગ્યો હતો. 2001ના ભૂકંપ બાદ કચ્છ એ ભૂસ્તરશાસ્ત્રીઓ માટે સતત સંશોધનનું કેન્દ્ર બની ગયું છે અને તેમાં હવે કંટ્રોલ હીલ- ફોલ્ટ લાઈન પર સૌનું ધ્યાન છે