કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 12ના મોત થયા છે. મુંબઇમાં કોરોનાથી ત્રીજા જ્યારે દિલ્હીમાં બીજા દર્દીનું મોત થયું છે. તેમ છતાં મંગળવારના આંકડાઓ પર નજર નાંખીએ તો એક પોઝિટિવ સમાચાર સામે આવી રહ્યાં છે. ખરેખર તો આ દિવસે કુલ 64 નવા કેસ નોંધાયા છે, જે સોમવાર કરતાં ઘણા ઓછા હતા.
ભારતમાં કોરોનાના નવા કેસમાં નોંધાયો ઘટાડો
સોમવારે 99 કેસની સામે મંગળવારે 64 નોંધાયાં
48 કોરોના વાયરસના દર્દીઓને હોસ્પિટલમાંથી અપાઇ રજા
ઉલ્લેખનીય છે કે સોમવારના રોજ કોરોનાના 99 કેસ નોંધાયાં હતા. એનો મતલબ છે કે હાલના તબક્કે આ આંકડાઓમાં ઘટાડો જોવા મળ્યો છે. જે ભારત માટે એક રાહતભર્યા ખુશખબર છે. જો કે હાલમાં ભારતમાં દર્દીઓની કુલ સંખ્યા 562 છે.
ભારત માટે રાહતની એ વાત છે કે અત્યાર સુધીમાં ઇલાજ બાદ 48 કોરોના વાયરસના દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. સોમવાર સુધી આ સંખ્યા 35 હતી, જેમાં ઝડપથી વૃદ્ધિ જોવા મળી છે. આરોગ્ય મંત્રાલયે દિલ્હીમાં એક મોતની પુષ્ટી કરી.
જો કે રાજ્ય સરાકરે આ અંગે કોઇ જાણકારીથી ઇન્કાર કર્યો હતો. સૂત્રોને મળતી જાણકાકરી મુજબ મંગળવારે રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક વ્યક્તિનું શ્વાસ લેવાની તકલીફ અને હૃદય સાથેની જોડાયેલી બિમારીથી મૃત્યું થયું હતું.
બીજી તરફ મુંબઇ મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે મુંબઇમાં સોમવારે રાતે કોરોના વાયરસના કારણે ત્રીજા વ્યક્તિના મોતની પુષ્ટી કરી હતી. આ પીડીત દર્દી દુબઇનો રહેવાસી હતો. જેને 15 માર્ચના રોજ અમદાવાદમાં એક હોસ્પિટલમાં પીઠ દર્દની ફરિયાદ કરી હતી અને ત્યારબાદ મુંબઇ આવી ગયો હતો.
કેરળથી 14 કેસ, જ્યારે મહારાષ્ટ્રથી 10
કેરળમાં મંગળવારનારોજ સૌથી વધારે 14 કેસ સામે આવ્યાં હતા. આ સૌથી વધારે કેસવાળા રાજ્ય તરીકે મહારાષ્ટ્ર કરતા આગળ નીકળી ગયું છે. મહારાષ્ટ્રમાં 10 નવા મામલા સાથે 109 કેસ છે, જ્યારે કર્ણાટકમાં 9, ઉત્તર પ્રદેશમાં 4, તેલંગાણા અને તામિલનાડુમાં 3-3 કેસ સામે આવ્યાં છે. બંગાળ અને જમ્મૂ-કાશ્મીરમાંથી બે-બે અને આંધ્ર પ્રદેશમાંથી એક નવો કેસ સામે આવ્યો છે.