આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) એ જણાવ્યું છે કે ભારતમાં સરકાર દ્વારા કૉર્પોરેટ ટેક્સમાં ઘટાડાની જાહેરાતના કારણે આગામી વર્ષે વિકાસ દર 7 ટકા રહેવાનું અનુમાન છે. જો કે આ નાણાંકીયવર્ષમાં વિકાસ દર 6.1 ટકા રહેવાની આશા છે.
સરકારે કોર્પોરેટ ટેક્સ ઘટાડતાં રોકાણ વધશે
અર્થવ્યવસ્થાને મજબૂત કરવા કેટલીક સમસ્યાઓ ઉકેલવી પડશે
ભારતની મહિલાઓ ઘણી પ્રતભાશાળી હોવાનું જણાવ્યું
કોર્પોરેટ ટેક્સ ઘટવાથી ભારતમાં રોકાણ વધશે
મુદ્રા કોષના એશિયા-પ્રશાંત ક્ષેત્રના નિદેશ ચેંગયાંગ રી એ જણાવ્યું છે કે RBI દ્વારા રેપોરેટમાં ઘટાડો અને સરકાર દ્વારા કૉર્પોરેટ ટેક્સ ઓછો કરવામાં આવતાં ભારતમાં રોકાણ વધશે. આ સાથે ભારતે નાણાંકીય એક્કીકરણ પર ધ્યાન આપવું જોઇએ. આ સાથે NBFC સેક્ટરની સમસ્યાઓનું સમાધાન પણ કરવું જોઇએ.
આ ક્ષેત્રમાં વ્યવસ્થામાં સુધાર લાવવાની જરૂરિયાત
IMFના મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટાલિના જૉર્જીવાએ કહ્યું છે કે પ્રાથમિક મુદ્દા પર ભારતે ઘણુ સારુ કામ કર્યું છે. પરંતુ અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે ભારતે કેટલીક સમસ્યાઓનું નિરાકરણ લાવવું જોઇએ.
પ્રતિભાશાળી છે ભારતની મહિલા
ક્રિસ્ટાલિના જૉર્જીવાએ કહ્યું કે લાંબા ગાળાના સુધારા માટે હ્યૂમન કેપિટલમાં રોકાણ પ્રથમ પ્રાથમિકતા છે. તેમનું કહેવું છે કે શ્રમ શક્તિમાં મહિલાઓને સામેલ કરવી જરૂરી છે. એવું એટલા માટે કે ભારતની મહિલાઓ ઘણી પ્રતિભાશાળી છે, પરંતુ તેઓ ઘરમાં બેસી છે.