સુપ્રીમ કોર્ટે OTT એટલે કે ઓવર ધ ટોપ પ્લેટફોર્મ પર દેખાડવામાં આવતા કન્ટેન્ટ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
સુપ્રીમ કોર્ટે OTT પર દેખાડવામાં આવતા કન્ટેન્ટ અંગે વ્યક્ત કરી ચિંતા
સેન્સર બોર્ડની જેમ આ કન્ટેન્ટ જનતા સુધી પહોંચી તેવી સરકારને કરી ટકોર
તાંડવ સિરીઝ મુદ્દે સુપ્રીમમાં ચાલી રહ્યો છે કેસ
અદાલતે કહ્યું કે, કેટલાક પ્લેટફોર્મ્સ પોર્નોગ્રાફી દેખાડી રહ્યા છે. OTT પર દેખાડવામાં આવતી ચીજોનું સ્ક્રિનીંગ થવું જોઇએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મુદ્દે તેઓ કેન્દ્રનું રેગ્યુલેશન જોશે અને આગામી સુનાવણી શુક્રવારે કરાશે.
તાંડવ સામે ધાર્મિક ભડકાવવા મુદ્દે કરાયો છે કેસ
સુપ્રીમ કોર્ટે આ વાત એમેઝોન પ્રાઇમની અપર્ણા પુરોહિતની આગોતરા જામીન અરજી પર સુનાવણી દરમિયાન કહી હતી. વેબ સિરીઝ 'તાંડવા' માં, અપર્ણા પુરોહિત સહિત ઘણા અભિનેતાઓ અને દિગ્દર્શકો વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ભડકાવવાના કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટે અપર્ણા પુરોહિતની અરજી ફગાવી દીધી છે. આ પછી, અપર્ણાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
માત્ર 2 મિનિટ ચાલી સુનાવણી
આજે આ મામલે સુપ્રીમ કોર્ટમાં માત્ર 2 મિનિટ સુનાવણી હાથ ધરાઇ હતી. સુનાવણીની શરૂઆતમાં જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું હતું કે, ઓટીટી પ્લેટફોર્મ પર દેખાડવામાં આવી રહેલ ચીજોનું સ્ક્રિનીંગ થવું જોઇએ. તેમના કહેવાનો અર્થ એવો હતો કે, જેવી રીતે ફિલ્મોને સેન્સર બોર્ડ પાસ કરે છે તેવી જ રીતે ઓટીટી પ્રોગ્રામ પણ જોયા બાદ સામાન્ય જનતા સામે પ્રદર્શિત કરવાની સ્વીકૃતિ મળવી જોઇએ.
અપર્ણા પુરોહિત તરફથી મુકુલ રોહતગીએ કહ્યું હતું કે, ઓટીટી પ્લેટફોર્મ્સના રેગ્યુલેશન તાજેતરમાં જ કરવામાં આવ્યું છે. મારા ગ્રાહક તેઓ એમેઝોનના એક કર્મચારી છે. જેમણે સિરીયલ બનાવી, મામલે તેમની વિરૂદ્ધ નોંધાવો જોઇએ.
આ અંગે જસ્ટીસ ભૂષણએ વધુમાં કહ્યું કે, આ દિવસોમાં ઓટીટી પર જે ચીજો બતાવવામાં આવી રહી છે તેમાં કેટલીક વખત પોર્નોગ્રાફી પણ કરવામાં આવે છે. જોકે, જસ્ટિસ ભૂષણની ટિપ્પણી વેબ સિરીઝ તાંડવા માટે નહોતી, પરંતુ દરેક માટે હતી.
અપર્ણાના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે ઓટીટી પ્લેટફોર્મ માટે નિયમો આવી ગયા છે, પરંતુ હજી સુધી નિયમો બનાવવામાં આવ્યા નથી. અમને નિયમન સાથે કોઈ સમસ્યા નથી પરંતુ તે પહેલાં તાંડવ બનાવવામાં આવે છે. ટૂંકા સમયના કારણે સુનાવણી આવતીકાલ સુધી મોકૂફ રાખવામાં આવી હતી.