પોરબંદર જેલ વિભાગ અને સિવિલમાં ભ્રષ્ટાચારની મિલીભગત હોવાનો કથિત વીડિયો સામે આવ્યો છે.
સિવિલનો જેલના દર્દી વોર્ડમાં સવલતો
સવલતો મળતા વોર્ડ સ્વર્ગ સમાન
ભ્રષ્ટાચાર કરી અપાય છે સવલતો
વીટીવી ન્યુઝ સામે જે વીડિયો આવ્યો છે એ વીડિયો કેદી દર્દીએ ઉતાર્યો છે. કેદી દર્દી દ્વારા આ વીડિયોમાં અનેક દાવાઓ કરવામાં આવી રહ્યા છે. દાવા પ્રમાણે જોઇએ તો કેદીઓને દર્દી તરીકે લાંબો સમય સુધી સિવિલ હોસ્પિટલના દર્દી વોર્ડમાં રાખવામાં આવે છે.
વીડિયોથી મચ્યો હડકંપ
ઉપરાંત દર્દીઓ પોતાના પરિજનોને બેરોકટોક મળી શકે છે. આ ઉપરાંત જેલના દર્દીઓ બેડ ઉપર દેખાતા નથી. આ દર્દીઓ ક્યાં ગુમ થઇ જાય છે એ સૌથી મોટો પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે.
જેલમાં પોલમપોલ ચાલી રહી છે કે શું ?
કેદીઓને હોસ્પિટલમાં દાખલ કરવા માટે કેટલાક લોકો ચોક્કસ ભૂમિકા ભજવતા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. અધિકારીઓને પણ આ પોલમપોલની જાણકારી હોવા છતાં કોઇપણ કાર્યવાહી કરવામાં નથી આવતી.
દર્દીઓને પુરી પાડવામાં આવી રહી છે મનગમતી સવલતો
સિવિલ વોર્ડમાં કેદીઓને વ્યસનની સવલતો પુરી પાડવામાં આવતી હોવાની વાત પણ વીડિયોમાં કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં દિવાળી સમયે કેદી વોર્ડમાં બબાલ થઇ હતી તેની તપાસ પણ પૂર્ણ ન કરી હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે. જો કે આ વીડિયો વાયરલ થતાં જ તંત્ર સામે અનેક સવાલો ઉભા થયાં છે અને સમગ્ર મામલે અધિકારીઓ દોડતા થયાં હતા.
સવાલો
પોરબંદર જેલ વિભાગ અને સિવિલમાં ભ્રષ્ટાચાર?
કેમ લાંબો સમય સુધી કેદીઓ દર્દી બની હોસ્પિટલમાં રહે છે?
કેમ જેલથી આવેલા દર્દીઓ પરિવારને બેરોકટોક મળે છે?
સિવિલ પ્રશાસન પોતાનું કામ કેમ ઇમાનદારીથી નથી કરતી?
સિવિલના બેડ પરથી દર્દી કલાકો સુધી ગુમ ક્યાં થઇ જાય છે?