પોરબંદરમાં ભેદી ધડાકો થતા લોકોમાં ભય જોવા મળ્યો છે. પોરબંદરથી લઈને રાણાવાવ સુધી ભેદી ધડાકાનો આવા સંભળાયો હતો. આ ધડાકો ભૂકંપનો છે કે અન્ય કોઇ તે અંગે લોકો એક બીજાને પૂછપરછ કરવામાં આવી રહી છે. એકાએક ભેદી ધડાકો થતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા અને લોકોમાં ભય જોવા મળ્યો.
આ ઘટના મામલે મળતી વિગતો મુજબ, આજરોજ પોરબંદરમાં ફરીએકવાર ભેદી ધડાકો સંભળતા ચકચાર મચી જવા પામી હતી. અચાનક થયેલ આ પ્રકારના ભેદી ધડાકાને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને રહિશો પોતાના ઘરની બહાર અથવા તો કામના સ્થળે બહાર દોડી આવ્યા હતા. જો કે, આ ધડાકો ક્યા કારણોસર થયો તે હજી સુધી જાણવા મળી શક્યું નથી.
#પોરબંદરથી લઈને રાણાવાવ સુધી ભેદી ધડાકોનો અવાજ સંભળાયો,ધડાકાના અવાજને લઈને લોકોમાં ભય,ધડાકો ક્યા કારણોસર થયો હતો તેને લઈ તપાસ હાથ ધરાઈ.#Blast (File Image) pic.twitter.com/0VeeOTBKtY
થોડા સમય પહેલા નેવલ બેઝમાં સંભળાયો હતો ભેદી ધડાકો
પોરબંદરમાં આવેલા નેવલ બેઝમાં ભેડી ધડાકો સંભળાવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ છે. ધડાકાનો અવાજ સંભળાતા નેવલ બેઝની સઘન તપાસ કરવામાં આવી રહી છે. જોકે, આ મામલામાં કંઈ પણ શંકાસ્પદ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.
વરિષ્ટ પોલીસ અધિકારી અને સંરક્ષણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવીના વાદસંવાદ સેન્ટરના ગાર્ડે શુક્રવાર સવારે આશરે નવ વાગ્યાની આસપાસ ધડાકાનો અવાજ સાંભળ્યો હતો. આ અવાજ ફાયરિંગ થઈ રહ્યું હોય તેના જેવો લાગ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓના કહેવા પ્રમાણે, આ ઘટનામાં થયેલી અત્યાસ સુધીની તપાસમાં નેવલ બેસમાંથી કંઈ શંકાસ્પદ બહાર આવ્યું નથી.
પોલીના જણાવ્યા પ્રમાણે પોરબંદરમાં હાલ મેળો ચાલી રહ્યો છે અને ત્યાંથી અવરજવર કરતા લોકોની સંખ્યા વધુ છે. બની શકે કે રસ્તા પર કોઈએ ફટાકડા ફોડ્યા હોય અથવા ટાયર પંક્ચર થયું હોય તેના કારણે આવો ધડાકાનો અવાજ સાંભળવામાં આવ્યો હોઈ શકે.