પોરબંદરમાં રાણાવવમાં મોટી દુર્ઘટના હાથી સિમેન્ટની ફેક્ટરીમાં ચીમની રીપેરિંગ દરમિયાન દુઘર્ટના સર્જાતા 3 મજૂરોના મોત જ્યારે 3 મજૂરોને જીવતા બહાર કઢાયા
હાથી સિમેન્ટની ફેક્ટરીમાં દુર્ઘટના
પોરબંદરમાં રાણાવવમાં મોટી દુર્ઘટના
ચીમનીમાં રિપેરિંગ સમયે પડ્યો માચડો
પોરબંદરના રાણાવાવ શહેરમાં એક દુઘર્ટના સર્જાઈ જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા, રાણાવાવમાં સિમેન્ટ ફેક્ટરીમાં ચીમની રીપેરિંગ દરમિયાન દુઘર્ટના સર્જાતા 6 મજૂરો દટાયા હતા. જેમાંથી 3 મજૂરોને જીવતા બહાર કઢાયા જ્યારે 3 મજૂરોના મોત નિપજ્યા હતા.
હાથી સિમેન્ટની ફેક્ટરીમાં દુર્ઘટના
સિમેન્ટની ફેક્ટરી જ્યારે ચીમનીના કાટમાળ નીચે દબાયેલા અન્ય મજૂરોને બહાર નીકાળતા કલાકો લાગ્યા હતા મહત્વનું છે બચાવકામગીરીમાં NDRFના જવાનોની મદદ પણ લેવામાં આવી હતી જેમાં હેલિકોપ્ટર મદદથી જવાનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બચાવકામગીરી આરંભી હતી. જેમાં ત્રણ મજૂરોએને જીવ બહાર કઢાયા હતા જ્યારે અન્ય ત્રણ મજૂરોના મોત થયા છે.
Gujarat | A labourer was safely rescued from the chimney of a cement factory in Ranavav, Porbandar. An Indian Coast Guard helicopter was deployed to search for workers.
CM Vijay Rupani has deployed two NDRF teams at the cement factory after speaking with Porbander DM. (12.08) pic.twitter.com/FwR7RZrini
રાણાવાવની સોરાષ્ટ્ર કેમિકલ્સ હાથી સિમેન્ટ ફેક્ટરીની ચીમની રીપેરીંગ દરમિયાન માચડો પડતા 6 મજૂર દટાયાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ગઈકાલે બપોરે સૌરાષ્ટ્રની જાણીતી હાથી સિમેન્ટ કંપનીમાં ચીમનીમાં અંદર કામ કરતા માચડો પડતા આ દુઘર્ટના સર્જાઈ હતી જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર અને રેસ્ક્યુ ટીમો કામે લાગી ગયા હતા.જેમાં એન.ડી.આર.એફ.કોસ્ટગાર્ડ.સ્થાનિક રેસ્ક્યુ ટીમો સતત 9 કલાક રેસ્ક્યુ કરી ત્રણ ને જીવિત બચાવી લેવાયા હતા ત્યારે ત્રણ ના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.
ચીમનીમાં રિપેરિંગ સમયે પડ્યો માચડો
સિમેન્ટ ફેકટરી ખાતે બનેલ સમગ્ર ઘટના ની પોલીસ તપાસ કરી રહી છે. જે કોઈ જવાબદારો હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે .ઘટનામાં બેજવાદરી દાખવનાર કોણ છે ? જવાબદારોએ કામ કરાવતી કોન્ટ્રકટ કંપની પાસે મજૂરોના ઈન્સ્યુરન્સ હતા જેવા અનેક સવાલો વચ્ચે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.