સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે અનેક નદીઓમાં નવા નીર આવ્યાં છે. માધવપુરની મધુવંતી નદીમાં પણ પૂર આવ્યું હતું. જોકે નદીમાં કોઈ બંધ ન હોવાથી નદીનું મીઠુ પાણી દરિયામાં ભળ્યું હતું. બીજી તરફ ભારે વરસાદને કારણે પોરબંદરનો દરિયો તોફાની બન્યો છે. અષાઢી બીજની ભરતીને લઈને દરિયો ગાંડો તૂર બનતા 8 થી 10 ફૂટ જેટલાં ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. જેથી લોકોને દરિયાની નજીક ન જવા માટે સૂચન કરાયું છે. સાથે જ
માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈં છે.
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ કોડીનારમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ પડ્યો હતો. સીઝનનો કુલ વરસાદ 28.87 ટકા થયો છે. મેઘરજમાં 3 ઇંચ જેતપુર પાવી 2 ઇંચ ફતેહપુરા 4 ઇંચ જામકંડોરણા 4 ઇંચ જસદણમાં 9ઇંચ વરસાદ પડ્યો હતો. લોધિકા 7 ઇંચ રાજકોટ 6 ઇંચ ઉપલેટા 4ઈંચ ટંકારા 5 ઇંચ ઉપલેટા 4 ઇંચ ટંકારામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
જ્યારે બીજી બાજુ દ.ગુજરાતમાં આજે પણ વરસ્યો છે. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરતના ઓલપાડ માંગરોળ કોસંબા સહિતના પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જિલ્લાભરમાં
વરસાદ વરસ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે.