પોરબંદરઃ સાવજોના મોતને લઈને ભારે ખળભળાટ વ્યાપી ગયો છે. ઈન્ફેકશનને કારણે આ સિંહોના મોત થયા હોવાનું બહાર આવ્યુ છે. જો કે વનવિભાગ દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યાં છે. પોરબંદરના બરડા અભ્યારણ્યમાં આવેલા બે સિંહ યુગલો સુરક્ષિત હોવાનું વનવિભાગે જણાવ્યુ હતું. બરડા અભ્યારણ્યમાં પ્રાયોગીક ધોરણે બે સિંહ યુગલોને લાવવામાં આવ્યા છે.
જો કે આ સિંહ યુગલોને વનવિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે અને જુનાગઢ સક્કરબાગના વેટરનરી ડોકટરો દ્વારા તપાસ પણ કરવામાં આવે છે. ગીરના સિંહોમાં ઈન્ફેકશન સામે આવ્યું છે. ત્યારે આ સિંહ યુગલોની પણ ખાસ તપાસ કરવામાં આવે છે. પરંતુ આ સાવજોમાં કોઈ ઈન્ફેકશન નહીં હોવાનું બહાર આવ્યુ છે. જેથી વાઈલ્ડ લાઈફ વર્કરોએ ખુશી વ્યક્ત કરી હતી. એવુ જણાવ્યુ હતુ કે પ્રાયોગીક ધોરણે વધુ સિંહોને બરડા અભ્યારણ્યમાં લાવવા જોઈએ. તો ગીરના સિંહો વધુ સુરક્ષિાત અને સ્વસ્થ રહી શકે.
ગીરના સાવજો મારણપર નિર્ભર થતા ઈન્ફેકશનનો શિકાર બન્યા છે. આ જીવલેણ વાયરસ ઘર કરી રહ્યાનું બહાર આવ્યુ છે. ત્યારે પોરબંદર જીલ્લાની વાત કરીએ તો બરડા અભ્યારણ્યમાં પ્રાયોગીક ધોરણે બે સિંહ યુગલોને લાવવામાં આવ્યા છે.
પોરબંદરના બરડા અભ્યારણ્યમાં બે સિંહ યુગલોને લાવવામાં આવ્યા હતા. જેમાંથી એક યુગલે સિંહ બાળોને જન્મ આપ્યા હતા. તેમાંથી એક બાળનું મોત થતા અન્ય એક બાળને જુનાગઢ સક્કર બાગ ખાતે લઈ જવામાં આવ્યુ હોવાનું જાણવા મળી રહ્યુ છે. આ રીતે બરડા અભ્યારણ્યમાં સિંહ યુગલો સુરક્ષિત હોવાનું વનવિભાગે જણાવ્યુ છે.