ગુજરાતમાં હાલ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સૌરાષ્ટ્રમાં છેલ્લા 3થી 4 દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના જામનગર-દ્વારકા-પોરબંદરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદી વાતાવરણ વચ્ચે પોરબંદર પાલિકાની ઘોરબેદરકારી સામે આવી છે. શહેરમાં ચાલુ વરસાદ દરમિયાન રોડ બંધ કર્યા વગર સ્ટ્રીટ લાઇટના થાંભલાને પાડવા જતા એક પરિવારની જિંદગી જોખમાઇ હતી. જો કે સદ્દનસીબે કોઇ દૂર્ઘટના ન ઘટતાં જાનહાનિ થઇ નહોતી.
પોરબંદર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી
સ્ટ્રીટ લાઈટના થાંભલા પાડવા સમયે પાલિકાની બેદરકારી આવી સામે
રોડ બંધ કર્યા વગર થાંભલાને પાડવા જતા જોખમાઈ જિંદગી
પ્રાપ્ત મળતી વિગત અનુસાર ગઇકાલે પોરબંદર નગરપાલિકા દ્વારા ખોજાખાના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટનો થાંભલો રીપેરીંગ કરવામાં આવી રહ્યો હતો. જો કે સ્ટ્રીટ લાઇટના થાંભલા પાડવા સમયે નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી હતી. પાલિકા દ્વારા રોડ બંધ કરવામાં ન આવતા સ્ટ્રીટ લાઇટનો થાંભલો રીપેરીંગ કરતા સમયે પડયો હતો.
જેને કારણે એક પરિવાર સાથે બાળકની જીંદગી માંડ-માંડ બચી હતી. પાલિકા દ્વારા રોડ બંધ કર્યા વગર થાંભલાનું સમારકામ કરવામાં આવી રહી હતું ત્યારે સદ્દનસીબે વાહનચાલક અને તેના પરિવારનો જીવ જતા બચ્યો હતો.
આમ સવાલ એ થાય છે કે શું પાલિકાએ વરસાદી માહોલ વચ્ચે સ્ટ્રીટ લાઇટના થાંભલાનું રીપેરીંગ કે અન્ય કામ કરવામાં આવી રહ્યું હોય ત્યારે આગળથી રોડ બંધ કરવો જોઇએ કે નહીં ? પાલિકાની આવી ઘોર બેદરકારીના લીધે અનેક જીંદગીઓ જોખમાઇ છે. જો ગઇકાલની દૂર્ઘટનામાં જો પરિવારને કંઇક થયું હોત તો કોણ જવાબદાર?