ઉતરાયણના દિવસે પોરબંદરમાં બનેલી ડબલ મર્ડરની ઘટના રાજકીય રૂપ ધારણ કરી છે. ત્યારે સમગ્ર મામલે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર મેદાને આવ્યા છે. અને સરકાર પર મોટો આરોપ લગાવતા કહ્યું કે, પોરબંદરમાં રાજ્યાશ્રય મેળવીને ફૂલી ફુલેલી ભારતીય જનતા પાર્ટીની ગુંડા ગેંગે, રિવોલ્વર સહિતના ઘાતક હથિયારોથી હુમલો કરીને પોરબંદર શહેર વોર્ડ પ્રમુખ રાજ કેશવાલા અને યુવા કાર્યકર કલ્પેશ ભૂતિયા સહિત બે ની હત્યા તથા સિનિયર આગેવાનો વનરાજ કેશવાલા અને પ્રકાશ જુંગીને ગંભીર ઈજા પહોંચાડવાની છે.
'સરકાર રાજ્યાશ્રય આપવાનું બંધ કરીને વિસ્તારને નિર્ભય બનાવે'
જગદીશ ઠાકોરે આ ઘટનાને વખોડી કાઢીને હત્યારાઓને કાનૂનને હવાલે કરીને પોરબંદર શહેર અને જિલ્લાને બાનમાં લેનાર તત્વોને રાજ્યાશ્રય આપવાનું બંધ કરીને વિસ્તારને નિર્ભય બનાવવાની રાજ્ય સરકાર પાસે માંગણી કરતા જણાવ્યું હતું કે, પોરબંદરમાં ડબલ મર્ડરની ઘટનામાં પોરબંદર વોર્ડ નંબર 11 માં કોંગ્રેસ પ્રમુખ રાજ કેશવાલા તથા સાથી કાર્યકર કલ્પેશ ભૂતિયા હત્યા તથા કોંગ્રેસના સિનિયર આગેવાન વનરાજ કેશવાલા તથા કાર્યકર પ્રકાશ જુંગીની હત્યાની કોશિશમાં બંને ગંભીરપણે ઘાયલ થયાનો બનાવ ખૂબ જ નિંદનીય છે.
ભાજપ સમર્થિત ગેંગોનો આતંક: જગદીશ ઠાકોર
ગુજરાતના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે આ ઘટના માટે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો સહિતના 11 આગેવાનો સંડોવાયેલા છે અને તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોરબંદરમાં શેરી અને ગલીઓમાં ભાજપ સમર્થિત ગેંગોએ આજકાલ આતંક ફેલાવ્યો છે. ડર અને ભયનો માહોલ ઉભો કરવાનો વધુ એક પ્રયત્ન છે.
भाजपाके गुंडों के घातक हमले में मौत को भेंटने वाले पोरबंदर शहर @INCGujarat के युवा नेता राज केशवाला और कल्पेश भुतिया को श्रद्धांजलि अर्पण कर शोक प्रस्ताव पारित किया।
શું છે સમગ્ર બનાવ?
ઉતરાયણની રાત્રી ના સમયે વિરભનુંની ખામભી નજીક ચૂંટણીની અંગત અદાવતમાં બે કાર વચ્ચે ટક્કર કરવામાં આવતા મામલો ગરમાય ગયો હતો જેમાં એક કાર માંથી કેટલાક શખ્સો એ બીજી કારમાં બેઠેલા બે સગા ભાઈઓ અને બે મિત્રો પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું જેમાં રાજ પરબત કેશવાલા અને કલ્પેશ ભૂતિયા નામના વ્યક્તિઓનું ગોળીઓ વાગતા મોત થયુ હતું. જ્યારે વનરાજ પરબત કેશવાલાને આંખમાં ગોળીના છરા વાગતા તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને બીજા પ્રકાશ માવજી જુગીને પણ ગંભીર ઇજા પહોંચતા તેમને પણ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.