પોરબંદર ખાતે CM રૂપાણીએ કીર્તિ મંદિર જઈને શ્રધ્ધાંજલિ આપી હતી. એટલુ જ નહીં પરંતુ તેમણે આજના દિવસે શ્રમદાન પણ કર્યુ હતુ. પોરંબદરમાં ચોપાટી ખાતે સાફસફાઈ કરીને સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને સાર્થક કર્યુ હતુ. વળી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાના શપથ લીધા છે. CM રૂપાણી સૌરાષ્ટ્રના પ્રથમ રિવરફ્રન્ટનું ઉદ્ઘાટન કરશે.
ગુજરાતને મળશે સ્વચ્છ રાજ્યનો એવોર્ડ
CM રૂપાણી સૌરાષ્ટ્રના પ્રથમ રિવરફ્રન્ટનું ઉદ્ઘાટન કરશે.
સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાના લીધા શપથ
પોરબંદરમાં CM રૂપાણીએ કીર્તિ મંદિર ખાતે ગાંધી બાપૂને યાદ કરીને શેરીઓ સાફ કરી હતી વળી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે પણ તેમણે શપથ લીધા અને સૌરાષ્ટ્રના પહેલા રિવરફ્રન્ટનું ઉદ્ઘાટન કરશે. ગુજરાતને આજે સ્વચ્છ રાજ્યનું સન્માન મળશે.
CM રૂપાણી પોરબંદર કિર્તીમંદિર ખાતે પહોંચીને ગાંધીજીના જન્મસ્થળે પુષ્પાંજલી અર્પીને સર્વધર્મ પ્રાર્થનામાં હાજરી આપી હતી. આ સભામાં રમેશ ઓઝા, સાંસદ રમેશ ધડકુ, ધારાસભ્ય બાબુભાઈ બોખરીયા પણ હાજર રહ્યા હતા. તમામે પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. અને ભજનો સાંભળ્યા હતા.
CM રૂપાણીએ 'સ્વચ્છતા એ જ સેવા' કાર્યક્રમમાં આપી હાજરી
પોરબંદરમાં બાપૂને શ્રધ્ધાંજલિ આપ્યા બાદ CM એ 'સ્વચ્છતા એ જ સેવા' કાર્યક્રમમાં આપી હાજરી આપી હતી જેમાં પોરબંદરમાં ચોપાટી ખાતે સાફસફાઇ કરીને મુખ્યમંત્રી રૂપાણીએ કચરો એકઠો કરીને ભેગો કર્યો હતો તેમ જ ત્યાંથી હટાવ્યો હતો. વળી ભીનો-કચરો અને સૂકો -કચરો આ અંગે પણ સમજ આપી હતી. તેમણે સ્વચ્છ ભારત ઝુંબેશને સમર્થન આપ્યુ હતુ. આજે ગુજરાતને સ્વચછ રાજ્યનો એવોર્ડ મળી રહ્યો છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાના લીધા શપથ
CM આજે સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવા માટેના શપથ લીધા હતા. તેમણે ધારાસભ્ય, સાંસદ સભ્ય અને અધિકારીઓએ પણ સિંગલ યુઝ પ્લાસ્ટીકનો વપરાશ નહીં કરવા માટે આજે ગાંધી જયંતી નિમિત્તે શપથ લીધા હતા.
ગુજરાતને મળશે સ્વચ્છ રાજ્યનો એવોર્ડ
ગુજરાતને આજે સ્વચ્છ રાજ્યનો એવોર્ડ મળવાનો છે. સ્વચ્છતા અભિયાનમાં ગુજરાતની આ મોટી સિદ્વી છે. આડે PM મોદી ગુજરાતને સ્વચ્છ રાજ્યનો એવોર્ડ આપશે જે CM રૂપાણી સ્વીકારશે.
CM રૂપાણી સૌરાષ્ટ્રના પ્રથમ રિવરફ્રન્ટનું ઉદ્ઘાટન કરશે.
પોરબંદરમાં સૌરાષ્ટ્રના પ્રથમ રિવરફ્રન્ટનું ઉદ્ઘાટન કરાશે. સીએમ રૂપાણીના હસ્તે અસ્માવતી રિવરફ્રન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. 40 કરોડના ખર્ચે અસ્માવતી રિવરફ્રન્ટનું નિર્માણ કરાયું છે. અને કર્લી જળાશયના સ્થળે આ રિવરફ્રન્ટ તૈયાર કરાયો છે. આધુકનિક ટેક્નોલોજી અને સુવિધાઓથી સજ્જે છે અસ્માવતી રિવરફ્રન્ટ.