પોરબંદરમાં કોસ્ટલ વિસ્તારની કેનાલનું કામ પૂર્ણ ન થતા ખેડૂતો દ્વારા ઘેડ પંથકમાં વિશાળ રેલી કાઢવામાં આવી છે. 10 ગામના ખેડૂતોએ ગોરસર ગામમાં વિશાળ રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો છે. 18 કરોડના ટેન્ડર છતાં કામ પૂર્ણ ન થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.
મહત્વનુ છે કે કોસ્ટલ વિસ્તારની કેનાલનુ કામ 2006માં શરૂ કરવામાં આવ્યુ હતું.પરંતુ અત્યાર સુધીમાં કામ પુરૂ થયું નથી જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. આગામી 2 મહિનામાં કેનાલનુ કામ પૂર્ણ નહીં થાય તો ખેડૂતોએ આત્મવિલોપનની ચિમકી પણ ઉચ્ચારી છે.
ઉલ્લેખનીય છે કે એક તરફ વરસાદની મોસમ જામી પડી છે ત્યારે પોરબંદરના કોસ્ટલ વિસ્તારની કેનાલનું કામ પૂર્ણ કરવામાં નહીં આવતા સ્થાનિક 10 વિસ્તારના ખેડૂતોએ રેલી કાઢી હતી. આ ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે 18 કરોડના ટેન્ટર પાસ કરવામાં આવ્યા હોવા છતાં પણ હજી સુધી આ કામ પૂર્ણ થવા પામ્યું નથી.
આપને જણાવી દઇએ કે કોસ્ટલ વિસ્તારની કેનાલનું કામ 2006માં શરૂ કરવામાં આવ્યુ હતું જે આજ દિવસ સુધી પૂર્ણ નહીં થતા ખેડૂતો રોષે ભરાયા હતા અને આજરોજ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આ કામ આગામી 2 માસમાં પૂર્ણ કરવામાં આવશે નહીં તો આત્મવિલોપન કરવામાં આવશે. ત્યારે હવે જોવું જ રહ્યું કે આ મામલે તંત્ર સજાગ બનીને શું પગલા ભરે છે.