વસ્તી નિયંત્રણ કાયદા સાથે જોડાયેલી તમામ નિવેદનબાજી વચ્ચે સમાજવાદી પાર્ટી (સપા)ના સાંસદ શફીકુર રહમાન બર્કે એક વિવાદિત નિવેદન આપ્યું છે.
સપા સાંસદ શફીકુર રહમાન બર્કેનું વિવાદીત નિવેદન
કહ્યું બાળકના જન્મને માણસ સાથે કંઈ લેવાદેવા નથી
અલ્લાહ સાથે સંબંધ ધરાવે છે
વિવાદીત નિવેદન આપવા માટે જાણીતા સપાના સાંસદ શફીકુર રહમાન બર્કે ફરી વાર વિવાદ છેડ્યો છે. તેમણે કહ્યું કે બાળકનો જન્મ માણસ સાથે નહીં પણ અલ્લાહ સાથે સંબંધ ધરાવે છે. જો અલ્લાહ બાળકોને જન્મ આપે છે, તો તેનું ભરણપોષણ પણ કરે છે. તેમણે કહ્યું કે જો સરકાર હજુ પણ કાયદો લાવવા માંગતી હોય તો તેની જગ્યાએ ધ્યાન બાળકોને ટ્રેનિંગ આપવા પર હોવું જોઈએ. જો બાળકને ટ્રેનિંગ મળી જાય તો વસ્તીનો મુદ્દો જાતે જ ઉકેલાઈ જાય.
अराजकता आबादी से नहीं, लोकतांत्रिक मूल्यों की बरबादी से उपजती है।
ગુરબત અને બેરોજગારી પર સરકાર ધ્યાન નથી આપતી: બર્ક
શફીકુર રહેમાન બર્કે કહ્યું કે સરકાર ગુરબત અને બેરોજગારી પર ધ્યાન આપી રહી નથી. 2024માં ચૂંટણી છે એટલે સરકાર દરેક રીતે માણસનું વલણ બદલવા માગે છે. તેમણે કહ્યું કે સરકાર ઇચ્છે છે કે મતદારો અને લોકો તેમને મહત્વ આપે અને તેમને મત આપે. પરંતુ આ મનુષ્યની વાત છે અને તે બધા માટે છે. માણસને જ્યારે તેની પરિસ્થિતિની જાણ થશે ત્યારે તે તેના પ્રમાણે પોતાના ઘરની વ્યવસ્થા કરશે.
અખિલેશે પણ વસ્તી મુદ્દે ટ્વીટ કર્યું
યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે પણ વસ્તી સાથે જોડાયેલા મુદ્દા પર ટ્વિટ કર્યું હતું. "અરાજકતા વસ્તીમાંથી નહીં, પરંતુ લોકશાહી મૂલ્યોના બગાડમાંથી ઉદ્ભવે છે. અખિલેશના આ ટ્વીટને ઉજજિલા સીએમ યોગીના નિવેદનનો વળતો હુમલો માનવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં વિશ્વ જનસંખ્યા દિવસ પર યોગી આદિત્યનાથે કહ્યું હતું કે એક વર્ગની વસ્તી વધવાથી અરાજકતા પેદા થશે. યોગીએ વિશ્વ વસ્તી દિવસ પર લખનઉમાં એક કાર્યક્રમમાં યુપીની વધતી વસ્તી પર ચિંતા વ્યક્ત કરી હતી.
સીએમ યોગીએ શું કહ્યું
સીએમ યોગીએ વિશ્વ જનસંખ્યા દિવસના અવસર પર લખનઉમાં એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે જનસંખ્યા નિયંત્રણનો કાર્યક્રમ સફળતાપૂર્વક આગળ વધવો જોઈએ પરંતુ જનસંખ્યા અસંતુલન ઉભુ ન થાય તેનું પણ આપણે ધ્યાન રાખવુ જોઈએ. એવું ન થાય કે કોઈ વર્ગની વસ્તીનો દર અને ટકાવારી વધુ હોય અને તેમની વસ્તીને વતનીઓમાં જાગૃતિ અભિયાન ચલાવીને નિયંત્રિત કરવામાં આવે.