લાલ કિલ્લાથી પીએમ મોદીએ દેશવાસિયોને નાનો પરિવાર રાખવાની અપીલ કરી હતી. પીએમ કહ્યું હતું કે, નાનો પરિવાર રાખવો પણ એક પ્રકારે દેશભક્તિ જ છે. તેમણે કહ્યું કે, જેમનો પરિવાર નાનો છે, તેઓ પણ દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે અને તેવા લોકોનું સન્માન કરવું જોઇએ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 73માં સ્વતંત્રતા દિવસે 'ચીફ ઓફ ડિફેન્સ સ્ટૉક'(CDS)નું પદ બનાવવાની મહત્વની જાહેરાત કરી અને સાથે જ દેશમાં જનસંખ્યા નિયંત્રણ અને 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'ની જરૂરિયાત પર જોર આપ્યું. પ્રધાનમંત્રીએ દેશમાં જનસંખ્યા વિસ્ફોટ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આવનારી પેઢીઓ માટે નવો પડકાર રજૂ કરે છે.
મોદીએ કહ્યું કે, તેની સામે લડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મહત્વના નિર્ણયો લેવા જોઇએ. તેમણે કહ્યું કે એકાએક વધી રહેલી જનસંખ્યા ચિંતાનો વિષય છે અને સમાજનો એક નાનો વર્ગ જે પોતાના પરિવારને નાનો રાખતો રહ્યો છે, તે સન્માનનો હકદાર છે. તેનું આ કામ એક પ્રકારની દેશભક્તિ છે. આ પ્રથમવખત છે જ્યારે મોદીએ જનસંખ્યાનો મુદ્દો ઉઠાવ્યો છે. જોકે ભાજપના કેટલાક નેતા આના પર ખુલીને વાત કરે છે.
આઝાદીના જશ્નના મોકા પર લાલ કિલ્લાથી પોતાના સંબોધન દરમિયાન વિસ્ફોટક લઇને પીએમ ચિંતિત દેખાયા. તેમણે દેશવાસીઓને પણ અપીલ કરી કે જનસંખ્યા પર નિયંત્રણ લાવવામાં મદદ કરે.
આપણી આવનારી પેઢીઓ માટે જનસંખ્યા વિસ્ફોટ કેટલીક સમસયાનું કારણ બનશે, પરંતુ જનતાની એક સતર્ક શ્રેણી એવી પણ છે જે એક બાળકને દુનિયામાં લાવતા પહેલા વિચારે છે કે તેઓ આ બાળક સાથે ન્યાય કરી શકશે કે નહીં, તે જે ઇચ્છે છે તે તમામ આપી શકશું કે નહીં. તેમનો પરિવાર નાનો છે અને તેઓ મધ્યમ વર્ગથી પોતાના દેશભક્તિ દેખાડી રહ્યા છે. આપણે તેમનાથી શિખવું જોઇએ. સામાજિક જાગરૂકતા આવશ્યક છે.
આપણે અશિક્ષિત પરિવાર વિશે નથી વિચારી શકતા
પીએમએ જનસંખ્યા વિસ્ફોટને શિક્ષણ અને રોજગારી સાથે પણ જોડ્યું. વસ્તીને શિક્ષિત અને સ્વસ્થ રાખવી જરૂરી છે. આપણે અશિક્ષિત સમાજ માટે નથી વિચારી શકતા. તેવામાં પરિવાર નાનો હશે તો આ વસ્તુ સરળ થશે. જેમનો નાનો પરિવાર છે તેમનાથી શિખવાની જરૂર છે.