મોટાભાગે લોકો સાપનાં નામથી જ ડરી જાય છે ત્યારે બિહારમાં નાગપંચમીના દિવસે ગંડક નદીને કિનારે એક એવો મેળો ભરાય છે જેમાં સાપને લોકો ગરદનમાં લપેટી લે છે અને પરંપરા નિભાવે છે.
બિહારમાં ભરાય છે સાપનો મેળો
નદીમાં ડૂબકી મારી લોકો પકડે છે સાપ
માનતા પૂરી કરવા નાગદેવતાનું કરે છે પૂજન
300 વર્ષથી ચાલે છે આ પરંપરા
સાપોનાં આ મેળામાં જવાંથી પહેલાં લોકો માં ભગવતીનાં મંદિરમાં પૂજા-અર્ચના કરે છે. ત્યારબાગ ઢોલ-નગારાંની સાથે વાજતે-ગાજતે તમામ લોકો ગંડક નદીને કિનારે પહોંચે છે. લોકોનું માનવું છે કે આ પરંપરાનું પાલન કરવાથી માંગેલ તમામ માનતાઓ પૂરી થાય છે. આ મેળા બાદ તમામ સાપોને સુરક્ષિત સ્થળો પર છોડી દેવામાં આવે છે.
300 વર્ષ જૂની છે આ પરંપરા
આ ગજબ મેળામાં લોકોનો ઉત્સાહ ખરેખર જોવાલાયક હોય છે. જ્યારે સાપોને બહાર કાઢવામાં આવે છે ત્યારે બધાં જ ભક્તો આનંદવિભોર થઇ તાળીઓ પાડે છે. તમને એ જાણીને નવાઇ લાગશે કે સાપોને માત્ર હાથોથી જ નહીં પણ મોઢા વડે પકડીને પણ બહાર કાઢવામાં આવે છે. આવા દશ્ય જોઇને કોઇ પણ વ્યક્તિ આશ્ચર્યચકિત થઇ જશે. આ પરંપરા આશરે 300 વર્ષ જૂની માનવામાં આવે છે.
મેળામાં ઊમટે છે શ્રદ્ઘાળુઓનું મોટું ટોળું
ભારત જેવા લોકશાહી દેશમાં સર્વધર્મ સમભાવ રહેલો છે ત્યારે ઘણાંય ભારતિયો નાગ દેવતામાં શ્રદ્ધા ધરાવે છે અને તની પૂજા પણ કરે છે. તેવામાં આ મેળાની સાથે ઘણાં લોકોની આસ્થા પણ જોડાયેલી છે. જેના લીધે આ પરંપરાને પણ શુભ માનવામાં આવે છે. આ મેળામાં હજારો ભક્તો જોડાય છે અને નદીમાં ડૂબકી મારીને સાપોને શોધે છે. આ નવીન મેળો વર્ષોથી દરવર્ષે ભરાય છે જેમાં સારી એવી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે.
લોકોની માનતા પૂરી થાય છે
ગંડક નદીમાંથી ઘણા પ્રકારનાં સાપોની પ્રજાતીઓને બહાર કાઢવામાં આવે છે. તમે એવી ઘણી જગ્યાઓનાં વિશે સાંભળ્યું હશે કે જ્યાં તમે જે પણ માનતા માનો છો તે પૂરી થાય છે. એવું જ કંઇક બિહારમાં આવેલા આ સુપ્રસિદ્ધ મેળા માટે પણ કહેવામાં આવે છે. આ મેળો બિહારના સમસ્તીપુરમાં નાગપંચમીને દિવસે ભરાય છે.