પંજાબી સિંગર જાનીને ગળા અને પીઠના ભાગ પર સામાન્ય ઇજા પંહોચી છે.
ગીતકાર જાની ની ગાડીનું એક્સિડન્ટ થયું
જાનીની કાર ઘણી વખત પલટી ખાઈને રસ્તાના કિનારે પડી હતી
જાની પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના ઘણા ફેમસ ગીતકાર છે
પંજાબના મશહૂર સિંગર-ગીતકાર જાની તેમના ગીતો અને એમના શબ્દોને લઈને યૂથ વચ્ચે ઘણા ફેમસ થયા છે. હાલ એક ખબર સામે આવી હતી કે જાનીની ગાડીનું એક ભયાનક એક્સિડન્ટ થઈ ગયું હતું. આ એક્સિડન્ટ પંજાબના મહોલિ સેક્ટર 88 પાસે મંગળવારે સાંજે થયું હતું. જાનીની ઘણી સ્પીડમાં ચાલતી ફોર્ચ્યુનર કાર અચાનક બેકાબૂ થતાં આ સામે આવતી બીજી કાર સાથે ટકરાઇ હતી અને એ પછી જાનીની કાર ઘણી વખત પલટી ખાઈને રસ્તાના કિનારે પડી હતી.
તમને જણાવી દઈએ કે કારમાં સવાર ત્રણ લોકોને વધુ ઇજા પંહોચી નથી. ગાડીમાં રહેલ એરબેગને કારણે જાની સહિત કારમાં બેઠેલ બીજા બે લોકોનો પણ જીવ બચી ગયો છે. પંજાબી સિંગર જાનીને ગળા અને પીઠના ભાગ પર સામાન્ય ઇજા પંહોચી હતી. જો કે મળતી જાણકારી અનુસાર બંને કારની સ્પીડ ઘણી વધુ હતું અને પોલીસનું કહેવું છે કે બંને કારમાંથી કોઇ એક કારે સિગ્નલ તોડ્યું છે અને ટેને કારણે જ આ એક્સિડન્ટ થયું છે. જેની પણ ભૂલ હશે તેને પકડીને જલ્દી જ તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.
આ પછી જાની એ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને એમના ફેન્સને આ બાબતે જાણ કરી હતી અને એમનો એકપીરયન્સ શેર કર્યો હતો. પોસ્ટમાં જાની એ લખ્યું હતું કે, 'આજે મારી આંખોએ મૃત્યુ જોયું અને એ પછી બાબાનાનકને જોયા અને પછી મૃત્યુ અને ભગવાન બંને એક સાથે દેખાયા હતા.. મારા મિત્રો હું બિલકુલ ઠીક છું બસ સામાન્ય ઇજાઓ આવી છે. દુવામાં યાદ રાખજો..' સિંગરની આ પોસ્ટ પછી લોકો એમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાથના કરી રહ્યા છે.
જાની પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના ઘણા ફેમસ ગાયક અને ગીતકાર છે. એમને 'નાહ', 'ક્યા બાત હૈ', 'પછતાઓગે', 'ફિલહાલ', 'તીતલિયાં', 'બારીશ કી જાયે' અને 'ફિલહાલ 2 મોહબ્બત' જેવા ગીતો લખ્યા છે. જાની તેના ગીતોને કારણે યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે.