પોપ્યુલર ટીવી શો તારક મહેતા...માં છેલ્લા 13 વર્ષથી પોપટલાલ લગ્ન કરવા માટે તડપી રહ્યો છે. લગ્ન કરવા માટે પોપટલાલ પત્રકારિતા છોડી દેવા માટે પણ તૈયાર છે.
પોપટલાલે છોડી દીધી પત્રકારિતા?
ગલી ગલી ભટકીને કરશે આ કામ?
શાકવાળો બની જશે પોપટલાલ?
શાકવાળો બનશે પોપટલાલ
તારક મહેતા...માં પોપટલાલના લગ્નને લઇને ઘણા એપિસોડ બન્યા છે પરંતુ ક્યારેય તેના લગ્ન થયા હોય તેવો એપિસોડ નથી બની શક્યો. પોપટલાલ આ વખતે તો પત્રકારિતા છોડીને શાકવાળો બનવા પણ તૈયાર છે. હવે તે સોસાયટીની મહિલાઓ સાથે મળીને શાકવાળો બની જવાનું પ્લાનિંગ કરી રહ્યો છે.
ગલી ગલી ફરીને વેચશે શાક
પોપટલાલનો શાક વેચવાનો આઇડ્યા પૈસા કમાવાનો નથી પરંતુ છોકરી શોધવાનો છે. હવે તે દરેક શેરીમાં શાક વેચશે તો ત્યાં ઘણી છોકરીઓ શાક લેવા આવશે અને તે દરમિયાન જો તેને પ્રેમ થઇ જાય તો તેના લગ્ન પણ થઇ જશે. માટે હવે તે જાગતા સપનું જોશે કે તે શાક વેચી રહ્યો છે.
કોમલ આપશે સલાહ
પોપટલાલ પોતાના સપનામાં ખોવાયો હશે તો કોમલ તેને સલાહ આપશે કે શાક વેચતા વેચતાં તે કસ્ટમરને બહેન ના કહેવા લાગે. કારણકે જો તે આવું કરશે તો પોતાની દુલ્હન નહી શોધી શકે. આ સાંભળીને પોપટલાલ શરમાઇ જાય છે અને હસવા લાગે છે. આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
નટુકાકાનું અવસાન
નટુકાકાનું હંમેશાથી સપનું હતું કે તે એક્ટિંગ કરતાં કરતાં જ દુનિયાને અલવિદા કહી દે અને ખરેખર તેવું જ થયું. તે કેન્સર સામે લડી રહ્યાં હતા તેમ છતાં શૂટિંગ પર આવતા હતા. તે સમયે તે કેવું ફીલ કરી રહ્યાં હતા તેનો ખુલાસો બાઘા ઉર્ફે તન્મય વેકરિયાએ કર્યો છે.
બાઘાએ જણાવી દાસ્તાં
ઘનશ્યામ નાયકની બીમારી દરમિયાન તન્મય તેમના પરિવાર સાથે સંપર્કમાં રહેતો હતો. ઇન્ટરવ્યૂમાં તન્મયે કહ્યું કે, 'તે છેલ્લા 2-3 મહિનાથી ખુબ તકલીફમાં હતા અને મને એવું લાગે છે કે હવે તે સારી જગ્યાએ છે. હું સતત તેમના દિકરા સાથે સંપર્કમાં હતો. તેમણે જણાવ્યું કે નટુકાકા ખુબ દર્દમાં હતા અને તેના કારણે તેઓ અજીબ વ્યવહાર કરવા લાગ્યા હતા. તે ખાવાનું તો દુર પાણી પણ નહોતા પી શકતા. તેઓ ખુબ મુશ્કેલ સમયમાંથી પસાર થયા હતા. એક રીતે હવે તે ભગવાન પાસે સુરક્ષિત છે. તેમની આત્માને શાંતિ મળે.'