નીલા ટેલિફિલ્મ્સ પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડનો પોપ્યુલર શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના 3000 કરતા પણ વધારે એપિસોડ્સ થઇ ગયા છે. હાલ ગોકુલધામ સોસાયટીના સભ્યો ટેનશનમાં છે અને તેનું કારણ પોપટલાલ છે.
પોપટલાલ થયો ગાયબ
ગોકુલધામ સોસાયટીના લોકો ચિંતામાં
જેઠાલાલ દુકાન ખુલવાથી થયા ખુશ
વાત જાણે એમ હતી કે ગઇકાલે સાંજે બધા લોકો નિર્ણય લે છે કે સોઢી સાથે બધા જ તેની કારમાં ઓફીસ જશે. નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર પોપટલાલ સિવાયના દરેક લોકો સાસાયટી કમ્પાઉન્ડમાં પહોંચી જાય છે.
સરકારે લોકડાઉનની છૂટની ઘોષણા કરીને લોકોને કામ પર જવા માટેની અનુમતિ આપી હતી. જેનાથી ગોકુલધામ વાસીઓને ઘણી રાહત મળી હતી. ખાસ કરીને જેઠાલાલ દુકાન ખુલવાથી ખુશ થઇ ગયા છે. સોસાયટીના અન્ય પુરુષો પણ આ નિર્ણયથી ખુબ ખુશ છે પરંતુ લોકો પોપટલાલની રાહ જોતા જોતા થાક્યા છે. પોપટલાલની રાહ જોઇને લોકોને ચિંતા થાય છે અને તે પોપટલાલના ઘરે પહોંચી જાય છે.
ઘણીવાર સુધી દરવાજો ખટખટાવે છે પરંતુ કોઇ જવાબ ન મળવાને કારણે સોઢી પોપટલાલના ઘરનો દરવાજો તોડવાનો નિર્ણય કરે છે પરંતુ ભિડે તેને રોકી લે છે. હવે બધા જ લોકો ચિંતામાં આવી ગયા છે કે પોપટલાલ ક્યાં ગયો છે.
શું થયુ છે પોપટલાલને, શું તે કોઇ ચિંતામાં છે કે બીજું જ કોઇ કારણ છે તેના ન મળવાનું, આપણે સૌ જાણીએ છીએ કે ગોકુલધામ સોસાયટીના લોકો એક બીજા સાથે પરિવારની જેમ રહે છે. એવામાં પોપટલાલ ન મળવાથી બધા જ લોકો ચિંતામાં આવી ગયા છે. હવે તો આવનારા એપિસોડમાં જ ખબર પડશે કે પોપટલાલ ક્યાં છે અને તે કેવી રીતે ગાયબ થયો છે.