છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને વૈશ્વિક ધોરણે પણ સમર્થન મળી રહ્યું છે, ઇન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાનાએ પણ આજે ખેડૂતોના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું
કૃષિ કાયદાની વિરુદ્ધ કેન્દ્ર સરકારે દિલ્હીની સરહદે હાજર રહેલા ખેડૂતોની આજુબાજુ ઘેરાબંધી ખૂબ કડક કરી દીધી છે. જો કે તે જ સમયે, હવે આંતરરાષ્ટ્રીય સેલેબ્રિટી પણ ખેડૂતોના સમર્થનમાં ખૂલીને બહાર આવી રહ્યા છે. પોપ સ્ટાર રિહાન્નાએ ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કર્યું છે.
રિહાન્નાએ મંગળવારે સાંજે ખેડૂતોની કામગીરીને લગતા એક સમાચાર શેર કર્યા હતા. આ સમાચાર ખેડૂતોના પ્રદર્શન સ્થળની આસપાસ ઇન્ટરનેટ બંધ થવાના હતા. રિહાન્નાએ આ સમાચાર શેર કર્યા અને લખ્યું - આપણે તેના વિશે કેમ વાત નથી કરી રહ્યા. રિહાન્નાએ આને #FarmersProtest હેશટેગથી ટ્વીટ કર્યું છે.
કોણ છે રિહાન્ના ?
રિહાન્નાએ એક 32 વર્ષીય અમેરિકન સિંગર છે, જે ઉદારમતવાદી વિચારસરણી ધરાવે છે, તે મૂળે બાર્બાડોસની છે, પરંતુ તેની કર્મભૂમિ અમેરિકા રહી છે.
સિંગર રિહાન્નાએ આંતરરાષ્ટ્રીય ધોરણે પ્રખ્યાત એક સેલેબ્રિટી છે, તે સિંગર છે, એક્ટ્રેસ છે અને સાથે જ એક બિઝનેસવુમન પણ છે. મહત્વનું છે કે ટ્વિટર પર 10 કરોડથી વધુ ફોલોવર્સ ધરાવનારી રિહાન્નાએ મ્યાનમારમાં આર્મી દ્વારા તખતાપલટને લઈને પણ ટ્વિટ કર્યું હતું, તે મૂળે ડેમોક્રેટની સમર્થક છે અને ઇમિગ્રન્ટ્સના મુદ્દે ટ્રમ્પની નીતિઓની આલોચક રહી ચૂકી છે.
કંગનાએ વાળ્યો જવાબ
આ મુદ્દે જો કે બોલિવૂડની પંગા ગર્લ પણ પાછળ રહી નથી અને રિહાન્નાને જવાબ વાળતા કંગના રનૌતે લખ્યું હતું કે અહી કોઈ પણ ખેડૂતોની વાત એટલે નથી કરી રહ્યું કેમ કે તેઓ ખેડૂતો નથી પણ આતંકીઓ છે, જે ભારતનું વિભાજન કરવા માંગે છે, જેથી ચીન જેવા દેશ અમારા દેશ પર કબજો જમાવી શકે, અને યુએસ જેવી ચીની કોલોની બનાવી નાખે. અમે તમારા જેવા મૂર્ખ નથી કે અમારા દેશને વેચી નાખીએ.
No one is talking about it because they are not farmers they are terrorists who are trying to divide India, so that China can take over our vulnerable broken nation and make it a Chinese colony much like USA...
Sit down you fool, we are not selling our nation like you dummies. https://t.co/OIAD5Pa61a
રિહાન્નાએ આ મામલે ટ્વિટ કરીને ખેડૂતોના આંદોલનને ફરીથી ટ્રેન્ડિંગ બનાવી દીધું છે, આ મામલે તેના ફેન્સ અને આંદોલનના સમર્થકો તેને ટેકા માટે આભાર માની રહ્યા છે જો કે અમુક લોકો એવા પણ છે જે કંગનાનો સપોર્ટ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ લોકોને ભારતની આંતરિક બાબતમાં માથું મારવાનીન જરા પણ જરૂર નથી, આમ બંને પક્ષોના લોકો પોતપોતાની પ્રતિક્રિયા મૂકી રહ્યા છે, [પણ એટલું ચોક્કસ છે કે આ આંદોલનરિહાન્નાના ટ્વિટથી ઘણા લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહેશે.