જૂનાગઢના માળિયા ખંભાળીયા ગામે રાજકીય વગના કારણે ગરીબ ખેડૂતો ભોગ બન્યા છે. સાંસદ અને ધારાસભ્યના ઝીંગા ફાર્મના ખારા પાણી ખેતરમાં ઘુસતા ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયું છે. ખારા પાણી ખેડૂતોની જમીનમાં ઘુસી જતા ઉભા પાકમાં લાખોનું નુકસાન થયું છે. ખેડૂતોની અનેકવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ પગલા ન લેવાતા ખેડૂતોમાં ઉગ્ર રોષ ફેલાયો છે.
ઉલ્લેખનીય છેકે સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય વિમલ ચુડાસમાના ફાર્મ છે. ખેડૂતોની અનેકવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી. ત્યારે અહીં અનેક સવાલો થાય છે કે રાજકીય વગ સામે તંત્ર કેમ લાચાર ? ઝીંગા ફાર્મના તળાવ ફાટતા ખેડૂતોને થયેલી નુકસાની ભરાશે ? ખેડૂતોએ રજૂઆત કરી હતી તો વ્યવહારિક ઉકેલ કેમ ન શોધાયો ?
સાંસદ અને ધારાસભ્યના ઝીંગા ફાર્મ હતા એટલે ચૂપ રહેવાનું ? તળાવ ફાટવાથી પાકને નુકસાન થયું તો તેનું વળતર મળશે ? ખારા પાણી ખેતરમાં ઘૂસ્યા ત્યાં સુધી જવાબદારો ઉંઘતા કેમ રહ્યા ? જેવા તમામ પ્રકારના અહી સવાલ થાય છે.