પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચ વર્ષ પહેલાં સત્તામાં આવ્યા ત્યારે તેમણે વિવિધ મુદ્દાઓ પર લોકોને આકર્ષયા હતા. તેમના પ્રશ્નો તે સમયે યુવાનોની બેરોજગારી, ખેડૂતોનો પાયમાલી અને દેશની સુરક્ષા.પરંતુ હવે 5 વર્ષ બાદ મોદીના મુદાઓ બદલાઈ ગયા છે. શું આવ્યો 5 વર્ષમાં પી.એમના ભાષણમાં દલાવ જોઈએ આ અહેવાલમાં.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચ વર્ષ પહેલાં સત્તામાં આવ્યા ત્યારે તેમણે વિવિધ મુદ્દાઓ પર લોકોને આકર્ષયા હતા. રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને ભ્રષ્ટાચાર સુધી અને મોંઘવારીથી લઈને બેરોજગારી સુધી. તેમણે તે માટે ઘણાં સ્લોગન પણ આપ્યા અને જે સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા હતા.
મોદીના ભાષણોમાં હવે ગરીબીની જગ્યાએ ચોકીદારને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. 2014માં મોદીના ભાષણમાં ગરીબી પર વધારે ફોકસ કરવામાં આવતુ હતું. તે શબ્દ તેમના ભાષણમાં 55 વખત વાપરવામાં આવ્યો હતો. જ્યારે 2019માં મોદીના ભાષણોમાં સૌથી વધુ બોલાયેલા શબ્દો ચોકીદાર, પાકિસ્તાન અને સેના છે.
ઉલ્લેખનીય છે કે, 2019ની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી મોદીના ભાષણમાં ચોકીદાર શબ્દનો સૌથી વધુ 106 વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. માર્ચમાં પ્રધાનમંત્રી વિપક્ષ તરફથી ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યા પછી ટ્વિટર પર પણ મેં ભી ચૌકીદાર કેમ્પેન શરૂ કર્યું હતું.
આ વખતના ભાષણ પર નજર કરીએ તો ચોકીદાર અને ગરીબી સિવાય 2019ના મોદીના ભાષણમાં પાકિસ્તાન (88), ભારતીય સૈન્ય (72), કોંગ્રેસ (38), વિકાસ (12), ખેડૂત (23) અને ભાજપ (21) શબ્દનો સૌથી વધુ વખત ઉપયોગ કર્યો છે.
2014ની લોકસભા ચૂંટણીમાં મોદી તેમના ભાષણોમાં વિકાસના ગુજરાત મોડલ પર ભાર આપતા હતા. તેથી તેમણે તે સમયે વિકાસ શબ્દનો 25 વખત અને ગુજરાત શબ્દનો 28 વખત ઉપયોગ કર્યો હતો. 2019માં તેમના ભાષણમાં વિકાસનો 31 વખત અને ગુજરાતનો માત્ર એક વાર જ ઉલ્લેખ કરાયો છે.