જમ્મુ કાશ્મીરમાં સતત સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. તેવામાં સેના તરફથી ચલાવવામાં આવી રહેલા પુંછ-રાજૌરી જંગલમાં આતંકવાદ વિરોધી અભિયાનને લઇને લોકોને ઘરમાં રહેવા માટે કહવામાં આવ્યું છે.
પુંછમાં લોકોને સેનાની સલાહ
ઘરની બહાર ન નિકળે, રાશન ભરી લો
આતંકવાદીઓ પર અંતિમ તબક્કાની તૈયારી
અધિકારીઓએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં 2 સરહદી જિલ્લાઓમાં પુંછ અને રાજોરીના જંગલ વિસ્તારમાં આતંકવાદ વિરોધી અભિયાનના 9માં દિવસે મેંઢરમાં જાહેર સૂચનાઓ આપવામાં આવી અને સ્થાનિક લોકોને પોતાની સુરક્ષા માટે ઘરમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.
આતંકવાદીઓ પર અંતિમ તબક્કાની તૈયારી
અધિકારીઓએ કહ્યું કે, ભટ્ટા દુરિયન અને આસપાસના વિસ્તારોમાં સ્થાનિક મસ્જિદોમાં લાગેલ લાઉડસ્પીકરના માધ્યમથી લોકોને સતર્ક કરવામાં આવ્યા હતા. જોકે, સેના પુંછ જિલ્લાના મેંઢરના જંગલ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ વિરૂદ્ધ છેલ્લા હુમલાની તૈયારી કરી રહી છે.
ઘરની બહાર ન નિકળે, રાશન ભરી લો
તેમણે કહ્યું કે, લોકોને સતર્ક કરતા કહેવામાં આવ્યું છે કે, તેઓ જંગલ વિસ્તારમાં ન જાય અને પોતાના પશુઓને પણ ઘરમાં જ રાખે. આ સિવાય લોકોને રાશન એકઠું કરી લેવા પણ કહેવામાં આવ્યું છે.
જમ્મુ કાશ્મીર: સેના તરફથી ચલાવવામાં આવી રહેલા પુંછ-રાજૌરી જંગલમાં આતંકવાદ વિરોધી અભિયાનને લઇને લોકોને ઘરમાં રહેવા માટે કહવામાં આવ્યું છે. અંતિમહુમલાની તૈયારી. #Jammukashmirpic.twitter.com/N7QCNPQcOn
તેમણે કહ્યું કે, જે લોકો બહાર ગયા છે તેમને પોતાના જાનવરો સાથે પોતાના ઘર પરત ફરવા કહેવામાં આવ્યું છે. એક જુનિયર કમીશંડ અધિકારી(JCO) અને ચાર અન્ય સુરક્ષા કર્મચારીઓએ 11 ઓક્ટોબરે પુંછના સુરનકોટ જંગલમાં આતંકવાદ વિરોધી અભિયાનની શરૂઆત દરમિયાન મોટા પ્રમાણમાં ફાયરિંગમાં શહીદ થયા, જ્યારે ગુરૂવારે થયેલી અન્ય એક અથડામણમાં જેસીઓ સહિત અન્ય 4 સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો.
અધિકારીઓએ કહ્યું કે, આતંકવાદીઓના ઇરાદાઓને નાકામ કરવા માટે આખા વન વિસ્તારમાં હજુ પણ કડક સુરક્ષા ઘેરો છે, આ વિસ્તાર પહાડી છે અને ગાઢ જંગલ છે, જેનાથી ઑપરેશનમાં મુશ્કેલીઓ વધુ ખતરનાક થઇ ગઇ છે.