હિંદૂ ધર્મમાં માઘ મહિનામાં આવતી અમાસ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. એવામાં માઘ મહિનાની પૂનમ પર અમુક ઉપાય કરવાથી તમારી દરેક મનોકામના પૂરી થાય છે.
માઘ મહિનામાં કરો આ અચુક ઉપાય
દૂર થશે તમારે દરે મુશ્કેલીઓ
પુરી થશે દરેક મનોકામના
હિંદુ પંચાગ અનુસાર માઘ મહિનાની શુક્લ પક્ષની પુનમે આવતી તિથિને માઘ પૂનમ અથવા માઘી પૂર્ણિમા કહેવામાં આવે છે. આ પાવન પર્વ પર ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને સૂર્યદેવની ખાસ આરાધના કરવાનું વિધાન છે.
માન્યતા છે કે જે પણ ભક્ત માઘ પૂર્ણિમા પર સાચી શ્રદ્ધા અને વિશ્વાસની સાથે પૂજા-અર્ચના કરે છે તેમના જીવનમાં સુખ-સમૃદ્ધિ હંમેશા બની રહે છે અને તેમના કષ્ટો પણ દૂર થાય છે. જે માઘ મહિનાની શરૂઆત 7 જાન્યુઆરી 2023એ થઈ હતી. તેમાં છેલ્લા દિવસે એટલે કે 5 ફેબ્રુઆરી 2023 રવિવારે કોઈ મનોકામના માટે કયા ઉપાય કરીએ તેના વિશે વિસ્તારથી જાણીએ.
ગંગા સ્નાનથી દૂર થશે બધા દોષ
માઘ પૂનમ પર પાપોમાંથી મુક્ત કરનાર ગંગા સ્નાન અને તેના તટ પર કરવામાં આવેલા દનથી ખૂબ જ પુણ્ય મળે છે. માન્યતા છે કે પાવન પર્વ પર ગંગા સ્નાન કરવાથી વ્યક્તિના જીવન સાથે જોડાયેલા બધા જ દોષ દૂર થાય છે અને દરેક મનોકામના પુરી થાય છે. એવામાં જો તમે આખા માઘ મહિનામાં હજુ સુધી ગંગા સ્નાન નથી કરી શક્યા તો પુનમના દિવસે ગંગા સ્નાનનું પુણ્ય જરૂર લો.
મંત્રથી પુરી થશે મનોકામના
જો તમે કોઈ કારણથી માઘ મહિનામાં ભગવાન વિષ્ણુની આરાધના નથી કરી શક્યા તો તેના છેલ્લા દિવસે એટલે કે પુનમ પર ભગવાન શ્રી વિષ્ણુને પ્રસન્ન કરવા માટે મંત્ર સાધના કરો. માન્યતા છે કે માઘી પુનમના દિવસે નારાયણ કવચ, વિષ્ણુ સહસ્ત્રનામ અને ગજેન્દ્ર મોક્ષમાંથી કોઈ એકનું પાઠ કરો.
અને તુલસીની માળાથી ભગવાન વિષ્ણુના મંત્ર ॐ नमो भगवते वासुदेवाय અથવા ॐ नमो नारायण અથવા श्रीमन नारायण नारायण हरि-हरिનું શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જય કરવાથી જીવનના દરેક દુખ અને દોષ દૂર થાય છે. ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિને ધન-ધાન્યની કમી નહીં થાય અને તેનાથી દરેક કામમાં સફળતા મળે છે.
આ રીતે મળશે માતા લક્ષ્મીની કૃપા
માઘ મહિનામાં માતા લક્ષ્મીની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. એવામાં માઘ પૂર્ણિમા પર ભગવાન શ્રી વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની ખાસ પૂજા જરૂર કરો. માઘ પુનમના દિવસે ધનની દેવીની કૃરા મેળવવા માટે શ્રી સૂક્તનો પાઠ ખાસ કરો.
માઘ પુનમની પૂજાનો મહાઉપાય
માઘ પુનમના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અને ચંદ્ર દેવની પૂજામાં ગાયના દૂધમાંથી બનેલી ખીરનો ભોગ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવામાં માધ પૂનમના દિવસે શ્રી લક્ષ્મીનારાયણને દિવસના સમયે અને રાત્રીમાં ચંદ્ર દેવને અર્ધ્ય આપવા માટે ચંદ્ર દેવને ખીરનો ખાસ ભોગ લગાવો.