રણબીર કપૂર અને આલિયા ભટ્ટના રિલેશન ઘણા દિવસોથી ચર્ચામાં છે. દરરોજ બંનેને લઇને કોઇને કોઇ સમાચાર મળતા રહે છે. હવે તાજેતરમાં જ પૂજા ભટ્ટને જ્યારે પૂછવામાં આવ્યું તો એમને કહ્યું 'મને લાગે છે કે આ એનો સમય છે. અમારે એની લાઇફ એન્જોય કરવા દેવી જોઇએ કારણ કે મને લાગે છે કે એ દુનિયા અને ભારતને એન્ટરટેન કરવાનું કામ બરોબર કરી રહી છે. તો એ પર્સનલ લાઇફમાં શું કરી રહી છે અને શું નથી કરી રહી એ તો એની સમસ્યા છે.'
થોડાક દિવસો અગાઇ જ્યારે રણબીરને આલિયાની સાથે એના રિલેશનના સમાચાર પર વાત કરી હતી તો એને કહ્યું હતું 'આ બધું નવું છે. હાલમાં એની પર વાત કરવી ઊતાવળ થશે. એક નવો પ્રેમ તમારા માટે ખૂબ જ ઉત્સુક્તા લઇને આવે છે. આજે હું પહેલાથી વધારે બેલેન્સ છું મને સંબંધોની વેલ્યૂ છે. '
બીજી બાજુ જ્યારે આલિયાને આ બાબતે પૂછવામાં આવ્યું તો એને કહ્યું કે હપં રણબીર સાથે રિલેશનના સમાચારની ના પણ નથી પાડતી અને હા પણ પાડતી નથી. મને એમને ફેશન સેન્સ અને એમની સાથે કામ કરવાનું ઘણું સારું લાગે છે.
જણાવી દઇએ કે રણબીર અને આલિયા બ્રહ્માસ્ત્રમાં સાથે કાન કરી રહ્યા છે. ત્યારબાદ કેટલીક એવી માહિતી પણ આવી હતી કે બંને એમના ફિલ્મના પ્રમોશન માટે આવે સમાચાર બનાવડાવી રહ્યા છે.