કુદરતે આપણને ઘણા ઉત્તમ ફળ આપ્યા છે પરંતુ દાડમ એ એક ગુણકારી ફળ છે. દાડમના ફળ ઉપરાંત તેના ઝાડના તમામ ભાગ ગુણોથી ભરપૂર છે. તેની કાચી કળી તથા ફળની છાલમાં સૌથી વધારે ઔષધીય ગુણ હોય છે જેથી દાડમને એક ઔષધીય ફળ તરીકે ઓળખવામાં આવે છે.
દાડમમાં અનેક રોગો મટાડવાની ભરપૂર શક્તિ રહેલી છે. દરેક ઋતુમાં પ્રાપ્ય એવું આ ફળ સેવન માટેનું એક ઉત્તમ ફળ છે. તેમાં અનેક રસાયણ પોષક તત્ત્વો તથા વિટામિન પ્રોટીન ખનીજ કાર્બોહાઇટ્રેડ ચરબી રેષા વગેરે ખૂબ જ માત્રામાં છે. એ સિવાય દાડમ એ વિટામીનો થી ભરપૂર ફળ છે.
દાડમમાં વિટામિન એ બી સી ખૂબ માત્રામાં છે. દાડમના ઔષધીય ગુણ દાડમમાં કેન્સરને રોકવામાં પણ ખુબ જ ઉપયોગી છે. દાડમ શરીરમાં કોઇપણ રોગ માટે ઘણું ફાયદાકારક છે. જે ઘણા જીવલેણ રોગોનો જડમૂળમાંથી નાશ કરે છે. તો આજે અમે જણાવીશું કે દાડમ ખાવાથી કેટલા ફાયદા થાય છે.
- નિયમિત રૂપે દાડમનું સેવન કરવાથી પાચન શક્તિ વધે છે. જેથી પેટની મોટાભાગની બિમારીઓ દૂર થાય છે.
- દાડમમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જેથી મહિલાઓને બ્રેસ્ટ કેન્સર જેવી જીવલેણ બિમારીઓનો ખતરો રહેતો નથી.
- દાડમમાં વિટામિન સી અને એન્ટી ઓક્સિડેન્ટ્સ ઇમ્યૂન પોવર હોય છે. જે લોહીની હેરફેર અને શરીરમાં શક્તિનો સંચાર કરે છે.
- દાડમ ખાવાથી હાર્ટ સ્ટ્રોક અને બ્રેન સ્ટ્રોક જેવી ગંભીર બિમારીઓથી બચી શકાય છે. આ સાથે હિમોગ્લોબિનની કમીથી પણ બચી શકાય છે.
- દાડમ ખાવાથી લોહી પાતળુ રહે છે અને હિમોગ્લોબિનની કમી પણ ખતમ થાય છે. પરંતુ ડાયાબિટીઝના દર્દીઓએ દાડમ ન ખાવું જોઇએ.
- દાડમ ખાવાથી માનસિક સ્ટ્રેસથી બચી શકાય છે અને ડિપ્રેશનથી પણ બહાર આવી શકાય છે.
- મૂત્ર સંબંધી તકલીફ પેશાબ અટકી અટકીને આવવો પેશાબમાં બળતરા વગેરેમાં નિયમિત એક દાડમ ખાવ. બધી તકલીફ અને દુખાવો બંધ થઈ જશે.
- એડકી અટકી અટકીને કે પછી સતત આવતી હોય તો રોજ એક દાડમ સવાર-સાંજ ખાવ. જલ્દીથી ફાયદો થશે.
- દાડમની છાલ અને પાન ખાવાથી પેટના રોગમાં રાહત મળે છે. પાચન તંત્રની તમામ સમસ્યાઓના નિદાનમાં દાડમ કારગર છે.
- દમ અને કોલેરા જેવી બિમારીમાં દાડમનુ જ્યુસ પીવાથી રાહત થાય છે.
- દાડમના દાણા પાણીમાં ઉકાળી તેના કોગળા કરવાથી શ્વાસમાંની દુર્ગધ દુર થાય છે.
- દાડમથી નાઇટ્રિક ઓકસાઇડનું ઉત્પાદન શરીરમાં વધે છે. જેથી લોહીની નળીઓ પહોળી થાય છે અને લોહીનો પ્રવાહ વધે છે.
- ભૂખ ન લાગતી હોય કે ખાવા પ્રત્યે અરૂચિ હોય તો દાડમ ઉત્તમ ઉપાય છે.
આ ઉપરાંત નિયમિત રીતે દાડમનો જ્યુસ પીવાથી ત્વચા ચમકદાક રહે છે અને આ સાથે ખીલની સમસ્યાથી પણ છૂટકારો મળે છે.