ઘણા લોકોને પેટ સાફ ના હોવા અને અપચાની ફરીયાદ રહે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો તમારા માટે દાડમના પાન ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે છે. આ માત્ર પેટ સંબંધિત સમસ્યાઓ નહીં પરંતુ દાંતનો દુખાવો, પેઢા અને લોહી આવવા અને મોઢામાં છાલા સહિત અન્ય બિમારીઓછી છુટકારો અપાવે છે.
પાચન ક્રિયા માટે દાડમના પાન ફાયદાકારક હોય છે. એમાં રહેલા પોષક તત્વ અને ખનિજ પદાર્થ મેટાબોલિઝ્મને ફાસ્ટ કરવામાં મદદરૂપ થાય છે. એનાથી શરીરને પૂરતી ઊર્જા પ્રાપ્ત થાય છે.
દાડમના પાનનો જ્યુસ પીવાથી અને એના પાન ચાવવાથી દસ્તની સમસ્યા દૂર થઇ જાય છે. આ આંતરડામાં ચોંટેલી ગંદકીને દૂર કરવામાં મદદ કરે છે.
દાડમના પાનમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ મોઢામાં રહેલા બેક્ટેરિયાને નષ્ટ કરવામાં મદદ કરે છે.
દાડમના પામ ઇમ્યૂનિટી વધારવાનું પણ કામ કરે છે. જો દરરોજ એના નવા પાનને ખાલી પેટે ચાવવામાં આવે તો બોડી ઇન્ફેક્શનથી બચેલી રહે છે. એનાથી તાવ આવાવનો ખતરો ઓછો રહે છે.
જો તમને શરદી ખાંસી થઇ ગઇ છે ત્યારે પણ દાડમના પાન ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. જો દાડમના પાનને ઉકાળીને કાઢો પીવામાં આવે તો આરામ મળશે.
દાડમના પાનનો ઉપયોગ કમળાથી છુટકારો અપાવે છે. કારણ કે આ લોહી ઉત્પાદનને દૂર કરવામાં મદદ કરે છે.