ગુજરાતમાં ભાજપ જ્યાં એક તરફ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી પાટીદાર કાર્ડ ખેલી રહ્યું છે.તો સામેપક્ષે કોંગ્રેસ પણ હવે ઓબીસી કાર્ડની રણનીતિ તરફ આગળ વધી રહ્યું છે.
2022માં OBC કાર્ડ ખેલવાની તૈયારી
ઠાકોર-ક્ષત્રિય સમાજને એક કરવા હાકલ
શું OBCથી મળશે 2022માં સફળતા?
2022ની વિધાનસભા ચૂંટણી પર સૌકોઈની નજર છે. કારણ કે, ગુજરાતની ચૂંટણીની દેશભરમાં અસર જોવા મળી શકે છે.ગુજરાતમાં ભાજપ જ્યાં એક તરફ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી પાટીદાર કાર્ડ ખેલી રહ્યું છે.તો સામેપક્ષે કોંગ્રેસ પણ હવે ઓબીસી કાર્ડની રણનીતિ તરફ આગળ વધી રહ્યું છે.અને તેના ભણકાર ઉત્તરગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજના સંમ્મેલનોમાં જોવા મળ્યા. ત્યારે કોંગ્રેસ જો ઓબીસી કાર્ડ ખેલે તો ગુજરાતના રાજકારણમાં તેની શું અસર પડે.આવો,જણાવીએ આ રિપોર્ટમાં
જ્ઞાતિ-જાતિનો જ ચૂંટણીમાં આધાર
આવા સવાલો અને તેના પર ચર્ચાઓ હવે ગુજરાતના દરેક ખુણે થવા લાગ્યા છે. સ્વાભાવિક છે કે, 2022ની ચૂંટણી વિકાસના નામે નહીં પરંતુ નાત-જાતના નામે લડાય તેવા સમિકરણો બની રહ્યા છે.ભારતીય રાજનીતિમાં સામાજિક ચેતનાના નામે રાજનીતિમાં ધ્રુવીકરણ સામાન્ય બાબત છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે આવી રહી છે, ત્યારે ભાજપે પાટીદાર મુખ્યમંત્રી બનાવીને એક મોટો મેસેજ આપ્યો છે.તો કોંગ્રેસે પણ ઉત્તર ગુજરાતની ધૂરા પરથી સામાજિક ચેતનાના નામે રાજકીય ધ્રુવીકરણના પ્રયત્ન શરૂ કરી દીધા છે.છેલ્લા 2-3 અઠવાડિયામાં કોંગ્રેસે ઉપરા-છાપરી 2 ઓબીસી સામાજિક કાર્યક્રમો યોજી હુંકાર ભરી દીધો છે કે, ભાજપની પાટીદાર રાજનીતિ સામે કોંગ્રેસ ઓબીસી રાજનીતિ માટે તૈયાર છે.. પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે એક સમ્મેલનને સંબોધતા ઓબીસી-ક્ષત્રિય સમાજને એક થવા પણ હુંકાર ભર્યો છે.
ઓબીસી રાજનીતિથી ધ્રુવીકરણનો પ્રયત્ન
મહત્વનું છે કે, આવું પ્રથમવાર નથી કે આ પ્રકારે સૌથી મોટી વસ્તીના મુખ્યમંત્રી અંગે રાજકીય નેતાઓ જાહેરમાં વાતચીત કરતા હોય. થોડા દિવસ પહેલા ભરતસિંહ સોલંકીએ પણ આ જ પ્રકારનું નિવેદન આપ્યું હતું. પાટીદારને મુખ્યમંત્રી બનાવી ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યો છે, ત્યારે કોંગ્રેસ ઓબીસી રાજનીતિ કરી ધ્રુવીકરણના પ્રયત્નમાં જોવા મળી રહી છે. તેવામાં આ પ્રકારની રાજનીતિમાં કેટલી સફળતા મળવાના ચાન્સ છે.
કોંગ્રેસ પારંપરિક 'ખામ'થિયરી તરફ
કોંગ્રેસ ખામ થિયરીના રસ્તે જઈ રહી છે. ત્યારે જ્ઞાતિ સમિકરણ પર નજર કરવામાં આવે તો.ગુજરાતમાં ઓબીસી સમાજની 147 જ્ઞાતિઓની સાથે લગભગ 45 ટકા વસ્તી છે.જ્યારે આદિવાસી 12 થી 15 ટકા, દલિત 7 થી 8 ટકા, મુસ્લિમ 9 થી 10 ટકા, પાટીદાર અંદાજિત 10 ટકા અને અન્ય ઉજળિયાત જ્ઞાતિઓ લગભગ 15 ટકા જેટલી છે.. આમ ગુજરાતમાં ઓબીસી અને તેમાં પણ ક્ષત્રિય ઠાકોર અને સૌરાષ્ટ્ર ના કોળી પટેલનો હિસ્સો સૌથી વધારે છે.. અને એ જ કારણ છે કે, ભરતસિંહ સોલંકોની આગેવાનીમાં કોંગ્રેસ ઓબીસી રાજનીતિને આગળ ધપાવતું જોવા મળી રહ્યું છે.. એટલે કે, પિતાના રસ્તે ખામ થિયરીથી ભરતસિંહ ગુજરાતની ગાદી જીતવા માગે છે. પરંતુ વિખેરાયેલી અને લોકોનો વિશ્વાસ ગુમાવી ચૂકેલી કોંગ્રેસ માટે ફરી સત્તા માત્ર સપનું બની જાય તેવું લાગી રહ્યું છે..