ગુજરાતમાં પ્રદુષણ મુદ્દે સેવાતી બેદરકારી હવે ધીરે ધીરે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે અને હવે તો તેના પરિણામ પણ મળવાના શરૂ થઈ ગયા છે. સુરતના પલસાણા તાલુકાના બલેશ્વર ગામમાં પ્રદુષણને કારણે 100થી વધુ લોકો કેન્સરગ્રસ્ત બનતા હડકંપ મચી ગયો છે. કેમિકલ યુક્ત પાણી વારંવાર નદી નાળામાં ખુલ્લેઆમ છોડાતા આ રોગનો લોકો ભોગ બની રહ્યા છે.
સ્થાનિકોની વેદના પર તંત્રના આંખ આડા કાન
GPCBમાં વારંવાર રજૂઆત છતાં સમસ્યા યથાવત્
બલેશ્વર ગામમાં 100થી વધુ લોકો કેન્સરની ઝપેટમાં
સુરતના પલસાણા તાલુકાનું બલેશ્વર ગામ કેન્સરગ્રસ્ત બન્યુ છે. બલેશ્વર ગામમાં 100થી વધુ લોકો કેન્સરની ઝપેટમાં આવ્યા છે. ગામના લોકો મોટે ભાગે ગળા-લીવરના કેન્સરના ભોગ બન્યા છે. ઉદ્યોગો દ્વારા સતત પ્રોસેસ કર્યા વગરનું કેમિકલ વાળુ પાણી બલેશ્વર ખાડીમાં સતત પાણી છોડાય છે.
પલસાણામાં પ્રદૂષણ ફેલાવવા ઉદ્યોગો બેફામ
હવા અને પાણીનું પ્રદૂષણ ત્યાં ચાલતા બેફામ ઉદ્યોગોને આભારી છે. કંપનીઓ દ્વારા કોઈપણ જાતની પ્રોસેસ કર્યા વગર ખુલ્લેઆમ કેમિકલ વાળુ પાણી છોડાય છે.
GPCBમાં વારંવાર રજૂઆત છતાં સમસ્યા યથાવત્
આ અંગે સ્થાનિકો દ્વારા વારંવાર તંત્રને ફરિયાદો કરવામાં આવી છે પરંતુ સ્થાનિકોની વેદાના તંત્રને દેખાતી જ નથી તે તો આંખ આડા કાન કરીને બેઠુ છે. GPCBમાં વારંવાર રજૂઆત છતાં સમસ્યા તો જેમની તેમ જ છે.