શહેરનું વાયુ પ્રદૂષણ આપણા આરોગ્ય માટે ઘાતક બની રહ્યું છે. તેની ગંભીરતા પર પ્રકાશ પાડવા માટે એક નવો અભ્યાસ કરાયો છે, જેમાં જાણવા મળ્યું કે દૂષિત આબોહવામાં માત્ર બે કલાક પણ રહેવાથી દિલ અને રક્તવાહિનીઓ પર પ્રતિકૂળ અસર પડે છે.
પ્રદૂષિત વાતાવરણની હૃદય પર પડતી અસરને જાણવા વધુ એક અભ્યાસ કરાયો
ગ્રીસની કેપોડિસ્ટ્રિયન યુનિવર્સિટીના પ્રોફેસરે જણાવ્યું કે વાયુ પ્રદૂષણ માં બે કલાક શ્વાસ લેવાથી માત્ર ૨૪ કલાકની અંદર હૃદય રોગનો પહેલો તબક્કો જોવા મળ્યો. આ અભ્યાસમાં સામેલ લોકોને સ્થાયી નુકસાનથી બચાવવા વાયુ પ્રદૂષણને સુરક્ષિત સ્તર પર રાખવામાં આવ્યું હતું.
આ તારણ ૪૦ લોકો પર અભ્યાસના આધાર પર કરાયું હતું, તેમાં ડીઝલના ધુમાડાના હૃદય ની પ્રણાલી પર પડનાર પ્રભાવનો અભ્યાસ કરાયો હતો. રક્તવાહિનીઓની કાર્યપ્રણાલી, ધડકનનો દર અને બ્લડ ક્લોટિંગ પર ધ્યાન આપવામાં આવ્યું હતું. આ તમામ બાબત હૃદય ના આરોગ્યને દર્શાવે છે.
સંશોધકોએ કહ્યું કે આ અભ્યાસનાં પરિણામ જણાવે છે કે દૂષિત હવામાં કેટલાક કલાક રહેવાથી ગંભીર હૃદયની બીમારીઓ થઇ શકે છે, તેમાં મોટા ભાગના રોગ એવા છે, જે ધીમે ધીમે વ્યક્તિમાં શરૂ થાય છે અને બીમારીનો ઉપચાર પણ કઠિન બને છે.
સંશોધકોએ જણાવ્યું કે લોકોએ કોશિશ કરવી જોઇએ કે તેઓ પ્રદૂષિત હવાના સંપર્કમાં ન રહે. છેવટે તો પ્રદૂષિત હવા હૃદયની બીમારીઓને વધારી દે છે.