રાજ્યમાં આગામી માર્ચ મહિનામાં ફરી ચૂંટણીનો માહોલ જોવા મળશે. આગામી સમયમાં ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટે આગામી 26 માર્ચે ચૂંટણી યોજાશે અને આ જ દિવસે ચૂંટણી બાદ મતગણતરી યોજાશે. એપ્રિલ મહિનામાં રાજ્યસભાની 55 બેઠકો ખાલી થઇ રહી છે. જેને લઇ 26 માર્ચે 7 રાજ્યોની 55 બેઠકો માટે ચૂંટણી યોજાશે.
રાજ્યસભાની 55 બેઠકો માટે યોજાશે ચૂંટણી
26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી અને મતગણતરી
17 રાજ્યોની 55 બેઠકો માટે યોજાશે ચૂંટણી
ગુજરતમાં 4 બેઠકો ખાલી થઇ રહી છે. જ્યારે મહારાષ્ટ્રની 7, તમિલનાડુની 6 સીટ ખાલી થઇ રહી છે. તો પશ્ચિમ બંગાળ-બિહારમાં પણ 5-5 બેઠકો ખાલી થઇ રહી છે. જો કે રાજ્યભરમાં એનડીએની બહુમતી માટે આ ચૂંટણી ઘણી મહત્વની સાબિત થશે. ગુજરાતમાં રાજ્યસભમાંથી જે સભ્યોની મુદત પૂરી થઇ રહી છે તેમાં ચુનીભાઇ ગોહેલ, લાલસિંહ વાડોદીયા, શંભુપ્રસાદ ટુંડિયા અને કોંગ્રેસના મધુસુદન મિત્રીનો સમાવેશ થાય છે.
આ તમામ સભ્યોની ટર્મ પૂરી થઇ જતા આ ચાર બેઠક માટે આગામી 26 માર્ચે મતદાન યોજાશે. ત્યારે ભાજપની બેઠકો ઘટી શકે છે અને વિપક્ષની બેઠકો વધી શકે છે. રાજ્યસભામાં 2020માં 69 સાંસદોની ટર્મપૂર્ણ થાય છે.
Election Commission of India: Biennial elections to theCouncil of States tofill the seats of 55 members of Rajya Sabha from 17 states, retiring in April 2020, will be held on 26th March. pic.twitter.com/11q8gPTtip
રાજ્યસભામાં બહુમતિ માટે 123 બેઠકો જરૂરી છે. જ્યારે NDA પાસે 115, યુપીએ પાસે 63 અન્ય પક્ષો પાસે 62 બેઠકો છે. આ વર્ષે મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર અને ઝારખંડના રાજ્યસભાની ચૂંટણી. ત્યારે તમામ રાજ્યો કોંગ્રેસ પાસે હોવાથી NDAને ફટકો પડી રહ્યાં છે.
રાજ્યસભામાં આ વર્ષે જે પ્રમુખ નેતાઓનો કાર્યકાળ પુરો થઇ રહ્યો છે તેમાં કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, રામદાસ આઠવલે, દિલ્હી ભાજપ નેતા વિજય ગોયલ, કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ અને NCP અધ્યક્ષ શરદ પવાર સામેલ છે.