ભારતના રાજકારણની એક તાસીર છે કે કોઈ પણ ઘટના કે બનાવ બને તો તેના પર અચૂકપણે રાજનીતિ શરૂ થઈ જાય છે..પછી તે ઘટના ભલે ગમે તેટલી કરૂણ કેમ ન હોય...સુરતના તક્ષશિલા એપોર્ટમેન્ટમાં 22 માસૂમોના મોત થયાને હજુ ગણતરીના દિવસો વિત્યા છે ત્યાં તો તેના પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે..નેતા બની બેઠેલા કેટલાક લોકો પોતાના અસ્તિત્વ માટે મેદાનમાં ઉતરી ગયા અને મેયરના રાજીનામાની માગ કરવા લાગ્યા..આમ જોઈએ તો લોકોને ન્યાય મળે તે માટે જો કોઈ લડે તો તે સારી વાત છે પરંતુ જો તમે લોકોને ન્યાય મળે તે માટે લડત ચલાવતા હોય તો તે લડત પણ આંદોલન જેવી જ લાંબી હોવી જોઈએ...શું માત્ર એક દિવસના ધરણાથી આ માસૂમોને ન્યાય મળી જશે? શું આ તંત્ર એટલું બધુ આજ્ઞાંકિત છે કે તે એક દિવસના ધરણામાં જ દોષિતોને દંડે? તો શા માટે આવી ઘટનાઓ પર રાજકારણ થાય છે? માસૂમનો ન્યાય મળે તે માટે રાજકારણ નહીં પરંતુ લડત ચલાવવાની જરૂર છે...અને આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન..